- બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામમાં 4.5 એફ.એસ.આઇ. સુધી બિન અધિકૃત બાંધકામો નિયમિત થશે
- બિન અધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચો. મીટર સુધી ખુટતાં પાર્કિંગ માટે ફી લઇને બાંધકામ નિયમિત કરાશે
(સિટીટુડે) અમદાવાદ, તા.૨૪
ગુજરાત મા બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે તે હેતુસર વધુને વધુ લોકો તે દિશામા સરકારે નિર્ણય જાહેર કર્યેા છે ગામ તળ વિસ્તારના આડેધડ થયેલા બાંધકામોને નિયમિત કરવાની દિશામાં મહત્વના નિર્ણય કર્યેા છે.
બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે ૧૦૦૦ ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
અગાઉ ખુટતા પાર્કીંગના ૫૦% જે તે પ્લોટમાં અથવા તો ૫૦૦ મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના ૫૦ % ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.