અમદાવાદ, તા.૫
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ સામે આવ્યો છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, ગુજરાતીના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. નવ દિવસનો ફેશન શૉ બની ગયો છે. માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા.’
નવરાત્રિ અંગે અનુપમ સ્વરૂપ સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘મેં સાંભળ્યું છે કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કોઈકે એવું પણ લખ્યું કે, સમય ઓછો અપાતો હશે, બેડ બિહેવિયર, ઓછી વાતચીત, વધતી જતી જરૂરિયાત છે. એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યું હશે. જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી.’
અનુપમ સ્વરૂપ સ્વામી જણાવ્યું કે, ‘નવરાત્રિમાં માતાજીના નવ રૂપોની પૂજા થાય, ઉપાસના થાય તે નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જાેવાય તે કેવી લાચારી. નવરાત્રિમાં જે સ્ત્રીને દેવી સ્વરૂપે જાેવામાં આવતી, નારી તું નારાયણી તરીકે જાેવામાં આવતી તે સ્ત્રીને મનોરંજનના સાધાન કે ટિકિટના વધુ ભાવ લેવાના સાધન તરીકે જાેવામાં આવે, ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મૂકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે તે કેવી લાચારી.