બેંગલુરુ, તા.૧૬
કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર ‘જય શ્રી રામ’ના કથિત નારા લગાવવાના મામલામાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હકીકતમાં, કોર્ટે બે લોકો સામે પોલીસ દ્વારા નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે, મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા બિલકુલ ખોટું નથી.
આરોપીઓની અપીલ અરજી પર વિચાર કરીને આદેશ પસાર કરતી વખતે, જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની આગેવાની હેઠળની સિંગલ બેંચે કહ્યું કે ‘જય શ્રી રામ’ના નારા લગાવવાથી કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણીઓને કેવી રીતે ઠેસ પહોંચશે તે સમજની બહાર છે. મસ્જિદમાં કથિત રીતે ‘જય શ્રી રામ’ના નારા લગાવવા બદલ આરોપીઓ પર આઇપીસીની કલમ ૨૯૫છ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમ ૪૪૭ (ગુનાહિત ઉપદ્રવ), ૫૦૫ (સાર્વજનિક ઉપદ્રવ માટે નિવેદન આપવું), ૫૦૬ (ગુનાહિત ધમકી), ૩૪ (સામાન્ય હેતુ) અને ૨૯૫છ (ધાર્મિક લાગણીઓને ભડકાવવી) હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણીમાં બેંચે કહ્યું કે, આ કેસમાં ફરિયાદીએ પોતે કહ્યું છે કે સંબંધિત વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમો સુમેળથી રહે છે. બેંચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અરજદારો સામે આગળની કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને બેંચે કહ્યું કે, કોઈપણ અને દરેક કૃત્ય આઇપીસીની કલમ ૨૯૫એહેઠળ ગુનો ગણાશે નહીં. કર્ણાટક પોલીસે આરોપ લગાવ્યો હતો કે, આરોપી વ્યક્તિ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ રાત્રે મસ્જિદમાં ઘૂસ્યો હતો અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેના પર ધમકીઓ આપવાનો પણ આરોપ હતો. જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે આરોપીને અજાણ્યા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો હતો અને બાદમાં આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
જાે કે, આરોપોને પડકારતા, આરોપીએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી અને આ સંબંધમાં તેમની સામેનો કેસ રદ્દ કરવામાં આવ્યો. ખંડપીઠે એમ પણ કહ્યું કે, ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે કે આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમો સુમેળથી રહે છે.