નવી દિલ્હી, તા.૩૦
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય પ્રજાને રાહત આપતાં સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં ૫ રૂપિયા સુધીનો ઘટાડો જાેવા મળી શકે છે. જ્યારે દેશમાં ડીઝલ ૨ રૂપિયા સસ્તું થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રીએ તેમના ઠ હેન્ડલ પર આ અંગે સંકેત આપ્યા હતા. છેલ્લે માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ રૂપિયાનો ઘટાડો જાેવા મળ્યો હતો. જાે કે હાલમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૭૧ ડૉલર છે. હરદીપ સિંહ પુરીએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી જણાવ્યું કે ધનતેરસના શુભ અવસર પર પેટ્રોલ પંપ ડીલરોને ઓઈલ કંપનીઓ દ્વારા અપાયેલી મોટી ભેટ સ્વાગત યોગ્ય છે! ૭ વર્ષથી ચાલતી માગ પૂરી થઈ.
હવે ગ્રાહકોને સારી સેવાઓ મળશે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય. દૂરસ્થ સ્થાનો (ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ અને ડીઝલ ડેપોથી દૂર) પર સ્થિત ગ્રાહકોને લાભ આપવા માટે આંતર-રાજ્ય નૂર પરિવહનને તર્કસંગત બનાવવા માટે ઓઈલ કંપનીઓ દ્વારા પણ એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. એક્સ હેન્ડલ પર ઉદાહરણો સાથે માહિતી આપતા હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ઓડિશાના મલકાનગિરીના કુનાનપલ્લી અને કાલિમેલામાં પેટ્રોલના ભાવમાં રૂ. ૪.૬૯ અને રૂ. ૪.૫૫ અને ડીઝલના ભાવમાં રૂ. ૪.૪૫ અને રૂ. ૪.૩૨નો ઘટાડો થઇ શકે છે. તેવી જ રીતે છત્તીસગઢના સુકમામાં પેટ્રોલની કિંમતમાં ૨.૦૯ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૨.૦૨ રૂપિયાનો ઘટાડો થશે. ડીલર કમિશનમાં વધારો અંદાજે ૭ કરોડ નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરશે જેઓ દરરોજ ઈંધણના ભાવમાં વધારો કર્યા વિના દેશભરમાં અમારા ફ્યુઅલ રિટેલ આઉટલેટ્સની મુલાકાત લે છે. છેલ્લા ૭ વર્ષથી પેન્ડિંગ આ માંગની પરિપૂર્ણતા પેટ્રોલ પંપ ડીલરો અને દેશભરના ૮૩,૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ પર કામ કરતા લગભગ ૧૦ લાખ કર્મચારીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.
