ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.
સાયબર ક્રાઈમ સુરત પોલીસે સાયબર ક્રાઈમ સુરત પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૨૨૬૦૦૧૪/૨૦૨૬ થી બી.એન.એસ. ની કલમ-૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા ઈન્ફર્ફોમેશન ટેકનોલોજી એકટ-૨૦૦૮ ની કલમ-૬૬(ડી), મુજબનો ગુનો દાખલ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ સદર કામની ફરીયાદ ફરીયાદી કરસનભાઈ અંબારામભાઈ ખોખાણી નાઓએ અત્રેનાં સાયબર ક્રાઈમ પો.સ્ટે. માં આપેલ છે. સદરહુ કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ આમ, તારીખ : ૦૮/૦૧/૨૦૨૪ થી તારીખ : ૦૯/૧૨/૨૦૨૪ દરમ્યાન આશિષભાઈ પટેલ, રહે. વડોદરા તથા સોમપુરીભાઈનાં મોબાઈલ નંબર : 9904763137, +91 1524558637 તથા બેંક એકાઉન્ટ ધારકોએ પુર્વ આયોજીત કાવતરું રચી ફરીયાદીને ફોરેક્ષ ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો થશે તેવી લોભાામણી વાતો કરી BOTALPHA.ME નામની વેબસાઈડ ઉપર ફરીયાદીના નામનું એકાઉન્ટ બનાવી આપી અમોને અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ઈન્વેસ્ટમેન્ટનાં રૂપિયા ટ્રાન્સફર કરવા કહેતા અમોએ તેઓના જણાવ્યા (1) IDFC FIRST BANK A/C NO. 10156137910 IFSC-IDFB0021414 (NPAY BOX PRIVATE LIMITED) भां ३८.१४,८२,४८०/- (2) STATE BANK OF INDIA A/C NO.4198794371 IFSC-SBIN0016020 (CAPTER MONEY PRIVATE LIMITED) भां ३८.२,१०,००০০/- (3) AXIS BANK A/C NO.924020035161621 IFSC-UTIB000723 (RAINET TECHNOLOGY PRIVATE LIMITED) માં રૂા.૪૦,૦૦,૦૦૦/- આમ મળી કુલ્લે રૂા.૫૬,૯૨,૪૮૦/- ઈન્વેસ્ટ કરેલ હતા અને તેઓ મારા એકાઉન્ટમાં ફોરેક્ષ ટ્રેડીંગ કરતા ફરીયાદીનાં એકાઉન્ટમાં પ્રોફીટ દેખાતો હતો અને આ દરમ્યાન હું રૂપિયા વિડ્રો કરવાનું જણાવતો હતો ત્યારે ફરીયાદીનાં બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થતાં હતા અને થોડા સમય સુધી પ્રોફીટ આપેલ અને તારીખ : ૦૯/૧૨/૨૦૨૪ થી પ્રોફીટ આપવાનું બંધ કરી અમારા રૂપિયા વિડ્રો ન કરવા દઈ અમારી સાથે રૂા.૫૬,૯૨,૪૮૦/- ની ઓનલાઈન છેતરપીડી કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.
સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુક્ત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, હાલના અરજદાર/આરોપી નાઓએ ફરીયાદીશ્રી નાઓને કોઈપણ લોભ લાલચ આપેલ નથી તેમજ અરજદાર/આરોપી પોતે એક રોકાણકાર છે અને અરજદાર/આરોપી નાઓ સદરહું ફરીયાદમાં જણાવેલ કહેવાતી કંપનીનાં કોઈ ડિરેકટર, કર્તાહર્તા કે એજન્ટ થતાં આવેલ નથી અરજદાર/આરોપી નાઓને સદરહું ગુનામાં કોઈ આર્થિક લાભ મળેલ હોય તેવું પણ પ્રથમ દર્શનીય રીતે જણાય આવતું નથી. જે તમામ હકીકત ઘ્યાને લઈ મહેરબાન સુરતનાં ચોથા એડીશ્નલ સેસન્સ જડજ સાહેબશ્રીની કોર્ટ ઘ્વારા આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.
આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓ તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.









