(સિટી ટુડે) સુરત,તા.09 બોગસ ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા રૂા.૨૦ લાખ ૫૦ હજાર પડાવવી યુ.એસ.ડી.ટી. કન્વર્ટ કરવાનાં કેસમાં સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ. સાયબર ફ્રાઈમ સુરત પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૨૨૫૦૦૧૬/૨૦૨૫ થી ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ–૩૦૮(૭), ૨૦૪, ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા આઈ.ટી. એકટની કલમ–૬૬(સી), ૬૬(ડી) મુજબ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ ગત તારીખ ઃ :૦૩/૦૩/૨૦૨૫ ના કલાક : ૯ :૦૦ થી તારીખ ઃ ૦૭/૦૩/૨૦૨૫ ના કલાક ૧૭ : ૩૦ દરમ્યાન મોબાઈલ નંબર : ૯૧૭૮૫ ૪૨૭૨૯ અને ૮૦૭૯૯ ૫૮૮૯૨ વોટસએપ વિડીયો…
Author: City Today Daily
(સિટી ટુડે) સુરત,તા.09 સુરત શહેરમા ઈમ્તીયાઝ સદામ વિરૂધ્ધ નોંધાયેલા ખંડણીના જુદા જુદા ગુન્હાઓ પૈકી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ S/0 ઈકબાલ બચાવ નાઓની રેગ્યુલર જામીન તથા આરોપી – સરફરાજ અલ્લારખા મુલતાની નાઓની આગોતરા જામીન અરજી નામંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ, સુરત કેસની હકીકત એવી છે કે, -ઉપરોક્ત આરોપીઓની સામે અઠવાલાઈન્સ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૫૨૫૦૯૪૭/૨૦૨૫ થી તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ જે ગુન્હો BNS એક્ટની કલમ ૩૦૮(૨), ૩૦૮(૫), ૧૨૬(૨) તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબનો નોંધાયેલો. સદર ગુન્હાના કામની ફરીયાદ ફરીયાદીશ્રી – ડો. મો. જાકીર ઐયુબભાઈ મેમણ નાઓએ આપેલ છે. -ઉપરોક્ત ગુન્હાના કામના તપાસ કરનાર અધિકારીશ્રી દ્વારા આરોપી…
(સિટી ટુડે) સુરત,તા.04 :: કરોડો રૂપિયાના યુ.એસ.ડી.ટી. સ્કેમમાં મુખ્ય આરોપી – બસ્સામ મકબુલ ડોક્ટર નાઓ તથા અન્યો વિરૂધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામમે ધરપકડ થયેલ આરોપી – ફઝલ S/o શકીલ કમરૂદ્દીન શેખ નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ: કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરત અથવાલાઈન્સ પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૦૫૨૪૧૧૬૧/૨૦૨૪ ના કામમાં BNS એક્ટની કલમ ૩(૫), ૨૩૮ મુજબનો ગુન્હો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. આ કામના તપાસ કરનાર અધિકારીશ્રીએ હાલની જામીન અરજીના અરજદાર/આરોપી તથા અન્ય આરોપીની ધરપકડ તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ કરેલ હતી. તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ અરજદાર/આરોપીને નામદાર કોર્ટમા રજુ કરી પોલીસ કસ્ટડી…
પંજાબ, તા.૨ છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં સતત વરસાદ અને પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પૂરને કારણે લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે પાક અને ખેડૂતોના પશુઓને ભારે નુકસાન થયું છે. પંજાબમાં સોમવાર સુધીમાં ૩૦ લોકોના મોત થયા છે. સોમવારે ચીનની મુલાકાત બાદ દિલ્હી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોન પર વાત કરી અને રાજ્યમાં વરસાદ અને પૂર અંગે ચર્ચા કરી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમવારે હોશિયારપુર જિલ્લાના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.પંજાબમાં આવેલા પૂરથી ૧૦ થી વધુ જિલ્લાના ૧,૦૦૦ થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે. આનાથી ૨.૫ લાખથી વધુ…
૧૦ વર્ષમાં ૭૦૦ નકલી Âસ્ટકર બનાવ્યાં, એક Âસ્ટકરના ૧૫,૦૦૦ લેતો કેટલાક વિદેશ પણ જતા રહ્યા, આરોપી ફેક વિઝા કેસમાં જામીન પર હતો સુરત, તા.૦૨ સુરતમાં PCB અને SOG સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામની વ્યÂક્તની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા Âસ્ટકરો મળ્યાં છે. પોલીસને તેની પાસેથી ૫ વિઝા Âસ્ટકર મળ્યાં છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતીક શાહ આ નકલી વિઝા Âસ્ટકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતીક શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને ૨૦૧૭થી…
મ્યાનમાર-ચીન બોર્ડર પર મિલિટરી સપોર્ટથી સાયબર સ્લેવરી ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજી દ્વારા વ્યક્તિઓનું શોષણ કરવામાં આવે છે અને ગુના કરવા માટે દબાણ કરવામાં આવે છે સુરત, તા.૨ સુરતમાં સાયબર ટીમે આંતરરાષ્ટÙીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યાે છે. સુરત સાયબર સેલની ટીમે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. નોકરીની લાલચે યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા. યુવકોને થાઇલેન્ડમાં કોમ્પ્યૂટર વર્કની નોકરીની લાલચ આપી હતી. ભારત ભરમાંથી ૪૦ લોકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા. પંજાબનો મુખ્ય સૂત્રધાર નિવર ચૌધરી સહિત ૩ ઝડપાયા છે. સુરતના આશિષને સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યો છે. આ પ્રકારે અનેક લોકોને “ડિજિટલ ગુલામ” બનાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૨ થી…
સુરત, તા.૦૧ સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતનાં અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના ૪૦ યુવાનને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઇરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઇડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઈમ દ્વારા ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના પટિયાલાના…
(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૧ અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા તા. ૩૧ ઓગષ્ટ ૨૦૨૫, રવિવારે શ્રી નરોત્તમ ઝવેરી હોલ, પાલડી, અમદાવાદ ખાતે સવારના સમયે પ્રથમા બ્લડ સેન્ટરના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનોએ અંદાજે ૬૨ બોટલ રક્તદાન કરી સમાજ માટે સકારાત્મક સંદેશ પહોંચાડયો હતો. જયારે ખરેખર મુશ્કેલ સમયે બ્લડની જરૂર પડે છે ત્યારે એક – એક બોટલ કેટલી કિંમતી હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. આ માનવમૂલ્યને ધ્યાનમાં રાખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉપસ્થિત રહી સરફરાજ, મોઈન દ્વારા ટૂંક સમયમાં…
પટણા, તા.૧ બિહારમાં રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા હેઠળ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ દરમિયાન મહારાષ્ટ્રમાં વોટ ચોરીના આરોપો મૂક્યા. તેમણે કહ્યું કે અમે દરેક વોટ ચોરીના પુરાવા આપ્યા છે, તેમ છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને વોટ ચોરી કરી છે. વોટ ચોરીનો મતલબ અધિકારની ચોરી, વોટ ચોરીનો મતલબ અનામતની ચોરી, વોટ ચોરીનો મતલબ યુવાઓના ભવિષ્યની ચોરી લખેલા બેનર બતાવીને મોદી સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી, એ જ શક્તિ હવે બંધારણની હત્યા કરવાના પ્રયાસ કરી રહી…
૮ સપ્ટેમ્બરે વિધાનસભાનો ઘેરાવ કરશે કોંગ્રેસ ડસેમ્બર ૨૦૨૭ સુધીમાં દરેક વિધાનસભા તમામ બૂથમાંથી વોટચોરી પડકવામાં આવશે (સિટી ટુડે) અમદાવાદ,તા.૦૧ આજ દેશમાં લોકશાહી પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. પહેલા ચૂંટણીપંચ વિપક્ષ સવાલનો જવાબ આપતું હતું. પરંતુ અત્યારે ચૂંટણીપંચ વિપક્ષનો જવાબ આપવાને બદલે રાહુલ ગાંધીને ચેતવણી આપે છે કે ૭ દિવસમાં માફી માંગે નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં જે રીતે વોટચોરી થઈ રહી છે તેને જાેતા નૈતિકતાના ધોરણે વડાપ્રધાનને સત્તા પર રહેવાનો અધિકાર નથી તેવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમે ચાવડા આક્ષેપ કર્યો હતો. અમદાવાદ ખાતે વોટ ચોર, ગદ્દી છોડ”ના નારા સાથે યોજાયેલ “વોટર અધિકાર જનસભા”ને સંબોધન કરતા ગુજરાત…
