Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા કેન્દ્રનો નિર્દેશ

    સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા કેન્દ્રનો નિર્દેશ

    City Today DailyBy City Today DailyJuly 27, 2025

    નવી દિલ્હી, તા.૨૭
    રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડતાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજતા આખા દેશમાં હોબાળો મચી ગયો છે. આવા સમયે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કૂલોમાં બાળકો માટે સુરક્ષા અને સુવિધાઓનું ફરજિયાત ઓડિટ હાથ ધરવા નિર્દેશ આપ્યા છે. બીજીબાજુ ઝાલાવાડની સ્કૂલમાં દુર્ઘટનામાં પોતાના બંને સંતાનોને ગુમાવનાર માતાના આક્રંદે આખા દેશને હચમચાવી દીધો છે. માતાએ કહ્યું તેના બંને બાળકો જતા રહ્યા, હવે આંગણું સુનું થઈ ગયું છે.
    રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડવાની દુર્ઘટનાના બીજા દિવસે કેન્દ્રીય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, તેમણે વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જાેઈએ, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા નિયમો મુજબ સ્કૂલો અને બાળકો સંબંધિત સુવિધાઓમાં સુરક્ષા ઓડિટ કરવું, ઈમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે કર્ચમારીઓ અને વિદ્યાર્થીઓને તાલિમ આપવી અને કાઉન્સેલિંગ મારફત માનસિક સહાય પૂરી પાડવી જેવા પગલાંઓનો સમાવેશ થાય છે. દરમિયાન ઝાલાવાડના ગામમાં સ્કૂલની છત તૂટી પડતાં માર્યા ગયેલા સાત બાળકોમાં એક જ પરિવારના બે ભાઈ બહેન મીના અને કાન્હાનો સમાવેશ થાય છે. માતાએ કહ્યું, મારે તો બે જ બાળકો હતા. એક પુત્ર અને એક પુત્રી, બંને અકસ્માતમાં માર્યા ગયા. હવે ઘર સૂમસામ થઈ ગયું છે. ભગવાને મને જ ઉઠાવી લીધી હોત, બાળકોને બચાવી લીધા હોત… બંને સંતાનો ગુમાવનાર માતાના આક્રંદે આખા દેશને હચમચાવી દીધો છે.
    બીજીબાજુ ઝાલાવાડના પિપલોદી ગામમાં સરકારી સ્કૂલની દુર્ઘટનામાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે. સ્કૂલની જર્જરિત હાલતથી ચિંતિત ગામવાસીઓએ અધિકારીઓ અને શિક્ષકોને સ્કૂલના સમારકામ માટે વિનંતી કરી હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહીં. ઉલટાનું અધિકારીઓએ ગામવાસીઓને તેમના સ્તર પર સમારકામ કરાવવા કહી દીધું હતું. જ્યારે શિક્ષકોએ કહ્યું કે ગામના દરેક પરિવાર ૨૦૦-૨૦૦ રૂપિયા આપે તો સ્કૂલની નવી છત કરાવડાવીએ.
    આ અકસ્માતથી ગુસ્સે ભરાયેલા ગામવાસીઓએ આક્ષેપ કર્યો કે, તેમણે સ્કૂલના રિપેરિંગ અંગે તહેસીલદાર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને વિનંતી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. ચાર વર્ષથી દરેક ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હતું.

    Post Views: 226
    સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા કેન્દ્રનો નિર્દેશ
    Previous Articleઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા
    Next Article સરકાર નકામી વસ્તુ’’ ચાલુ ગાડીમાં પંચર કરી દેશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સૂચક નિવેદન

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.