Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત

    સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત

    City Today DailyBy City Today DailyAugust 6, 2025

    સુરત, તા.૦૬
    સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં બનેલી બે ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહનચાલકો સામે ફક્ત રૂ. ૧,૦૦૦નો દંડ નહી પણ સીધી ફરીયાદ નોંધવામાં આવશે અને આરટીઓના નિયમો પ્રમાણે રૂ.૧૦,૦૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ નવા પગલાંઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. શહેરના અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે પરંતુ, વાહનચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બનેલી ઘટનાઓએ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કરી છે. આ ઘટનાઓને પગલે સુરત ટ્રાફિક પોલીસે એક નવો કડક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. આ અંગે ટ્રાફિક વિભાગના એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું કે,”અગાઉ અમે માત્ર જાહેરનામા ભંગના કાયદા હેઠળ ૧,૦૦૦નો દંડ ફટકારીને કામગીરી કરતા હતા પરંતુ, હવે પરિસ્થિતિની ગંભીરતા જાેતા અમે કાયદાકીય કાર્યવાહીને વધુ કડક બનાવી રહ્યા છીએ. ભારે વાહનોની બેફિકરાઈને કારણે રસ્તા પર અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાય છે. હવે આ સ્થિતિને અટકાવવા માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે. વાહનચાલકોએ આ નવા નિયમોને ગંભીરતાથી લેવા અને તેનું પાલન કરવું.”

    Post Views: 251
    સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત
    Previous Articleપેટ્રોલમાં ૨૭% ઇથેનોલ ભેળવવાની કેન્દ્રની તૈયારીથી વિવાદ
    Next Article ધો-૯ થી ૧૨માં ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.