Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત

    સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત

    City Today DailyBy City Today DailyAugust 6, 2025

    સુરત, તા.૦૬
    સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં બનેલી બે ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહનચાલકો સામે ફક્ત રૂ. ૧,૦૦૦નો દંડ નહી પણ સીધી ફરીયાદ નોંધવામાં આવશે અને આરટીઓના નિયમો પ્રમાણે રૂ.૧૦,૦૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ નવા પગલાંઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. શહેરના અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે પરંતુ, વાહનચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બનેલી ઘટનાઓએ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કરી છે. આ ઘટનાઓને પગલે સુરત ટ્રાફિક પોલીસે એક નવો કડક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. આ અંગે ટ્રાફિક વિભાગના એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું કે,”અગાઉ અમે માત્ર જાહેરનામા ભંગના કાયદા હેઠળ ૧,૦૦૦નો દંડ ફટકારીને કામગીરી કરતા હતા પરંતુ, હવે પરિસ્થિતિની ગંભીરતા જાેતા અમે કાયદાકીય કાર્યવાહીને વધુ કડક બનાવી રહ્યા છીએ. ભારે વાહનોની બેફિકરાઈને કારણે રસ્તા પર અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાય છે. હવે આ સ્થિતિને અટકાવવા માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે. વાહનચાલકોએ આ નવા નિયમોને ગંભીરતાથી લેવા અને તેનું પાલન કરવું.”

    Post Views: 223
    સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત
    Previous Articleપેટ્રોલમાં ૨૭% ઇથેનોલ ભેળવવાની કેન્દ્રની તૈયારીથી વિવાદ
    Next Article ધો-૯ થી ૧૨માં ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.