Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત

    સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત

    City Today DailyBy City Today DailyAugust 6, 2025

    સુરત, તા.૦૬
    સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં બનેલી બે ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહનચાલકો સામે ફક્ત રૂ. ૧,૦૦૦નો દંડ નહી પણ સીધી ફરીયાદ નોંધવામાં આવશે અને આરટીઓના નિયમો પ્રમાણે રૂ.૧૦,૦૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ નવા પગલાંઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. શહેરના અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે પરંતુ, વાહનચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બનેલી ઘટનાઓએ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કરી છે. આ ઘટનાઓને પગલે સુરત ટ્રાફિક પોલીસે એક નવો કડક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. આ અંગે ટ્રાફિક વિભાગના એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું કે,”અગાઉ અમે માત્ર જાહેરનામા ભંગના કાયદા હેઠળ ૧,૦૦૦નો દંડ ફટકારીને કામગીરી કરતા હતા પરંતુ, હવે પરિસ્થિતિની ગંભીરતા જાેતા અમે કાયદાકીય કાર્યવાહીને વધુ કડક બનાવી રહ્યા છીએ. ભારે વાહનોની બેફિકરાઈને કારણે રસ્તા પર અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાય છે. હવે આ સ્થિતિને અટકાવવા માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે. વાહનચાલકોએ આ નવા નિયમોને ગંભીરતાથી લેવા અને તેનું પાલન કરવું.”

    Post Views: 239
    સુરતમાં ૩ દિવસમાં ભારે વાહનોના કારણે બે ગંભીર અકસ્માત
    Previous Articleપેટ્રોલમાં ૨૭% ઇથેનોલ ભેળવવાની કેન્દ્રની તૈયારીથી વિવાદ
    Next Article ધો-૯ થી ૧૨માં ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા

    Related Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    July 29, 2026

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    July 27, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.