Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 8
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાડુઆતને મોટી રાહત! હવે વધારે સિક્યોરિટી ડિપોઝિટ નહીં લઈ શકે મકાન માલિક

    ભાડુઆતને મોટી રાહત! હવે વધારે સિક્યોરિટી ડિપોઝિટ નહીં લઈ શકે મકાન માલિક

    City Today DailyBy City Today DailyDecember 5, 2025

    સિક્યોરિટી ડિપોઝિટ મકાનમાલિક પોતાની મરજી મુજબ વસૂલી શકશે નહીં, સરકારે આ માટે નિયમો નક્કી કર્યા
    નવી દિલ્હી, તા.૫
    દેશમાં ઘણા લોકો એવા છે, જેમની પાસે પોતાનું મકાન હોતું નથી. તેથી તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. તો ઘણા લોકો એવા છે, જેઓ કામ કે અન્ય કારણોસર બીજા શહેરમાં રહે છે. ત્યાં તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. પરંતુ ભાડે રહેનારાઓ માટે ઘણી એવી વસ્તુઓ છે, જે તેમના માટે હંમેશા મુશ્કેલીનું કારણ બનતી જાેવા મળે છે.
    આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મકાનમાલિક પોતાની મરજી મુજબ સિક્યોરિટી ડિપોઝિટ અને ભાડું નક્કી કરી દે છે. ક્યાંક ૫-૬ મહિનાની સિક્યોરિટી લેવામાં આવે છે, તો ક્યાંક અચાનક ભાડું વધારી દેવામાં આવે છે.
    પરંતુ હવે આવું નહીં થાય, સિક્યોરિટી ડિપોઝિટ મકાનમાલિક પોતાની મરજી મુજબ વસૂલી શકશે નહીં. સરકારે આ માટે નિયમો નક્કી કર્યા છે.
    મકાનમાલિકો મનમાની નહીં કરી શકે – અત્યારે દેશમાં ઘણા મકાનમાલિક એવા છે, જે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે પોતાની મરજી મુજબ રકમ વસૂલે છે. આના પર કાબૂ મેળવવા માટે સરકાર Model Tenancy Act ને આખા દેશમાં લાગુ કરવા પર ભાર આપી રહી છે. નવા રેન્ટ નિયમો ૨૦૨૫માં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હવે સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા (લિમિટ) નક્કી થઈ જશે. મકાનનું ભાડું મરજી મુજબ વધારી શકાશે નહીં અને કોઈને કોઈ કારણ વગર મકાનમાંથી કાઢી શકાશે નહીં. આ ફેરફાર ભાડુઆતો માટે મોટી રાહત લઈને આવ્યો છે.
    નવા નિયમમાં શું છે? – નવા નિયમ મુજબ રેસિડેન્શિયલ પ્રોપર્ટી (મકાન) માટે મહત્તમ ૨ મહિનાનું ભાડું જ સિક્યોરિટી તરીકે રાખી શકાશે. તો દુકાન કે ઓફિસ જેવી કોમર્શિયલ સ્પેસ માટે આ મર્યાદા (લિમિટ) ૬ મહિનાની રાખવામાં આવી છે. આનાથી ભાડુઆત પર અચાનક મોટી રકમ જમા કરાવવાનું દબાણ ઘટશે અને ભાડે મકાન લેવું પહેલા કરતાં વધુ સરળ બનશે. ઘણી વખત લોકો સિક્યોરિટી રકમના કારણે જ મકાન ભાડે લેવાથી પાછળ હટી જતા હતા. Model Tenancy Act  પછી લેખિત ભાડા કરાર હવે ફરજિયાત બની ગયો છે. આ કરારમાં ભાડું, તેને વધારાની રીત, સમારકામની જવાબદારી, નોટિસ પીરિયડ અને ભાડાનો સમયગાળો જેવી બાબતો સ્પષ્ટ લખેલી હોવી જરૂરી છે. આ કરાર બન્યાના ૬૦ દિવસની અંદર રેન્ટ ઓથોરિટીમાં જમા કરાવવો પડશે.
    સાથે જ રાજ્યોએ એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ તૈયાર કરવાનું રહેશે, જ્યાં ભાડા કરાર ડિજિટલ સ્વરૂપે નોંધણી કરાવી શકાશે. આ રેકોર્ડ કાયદેસર માન્ય ગણાશે અને કોઈ વિવાદ થાય તો આ સૌથી મોટો પુરાવો બનશે. આનાથી ભાડુઆત અને મકાનમાલિક બંનેને પારદર્શિતા મળશે અને પછીથી કોઈ પક્ષ પોતાની મરજી મુજબ શરતો બદલી નહીં શકે.

    Post Views: 267
    @GUJARAT
    Previous Articleગુજરાતમાં SIR પ્રક્રિયા વચ્ચે ૫૩ લાખ નામ કપાઈ જશે
    Next Article विधायक इमरान खेड़ावाला और जीपीसीसी के वरिष्ठ नेता एवं पूर्व विधायक ग्यासुद्दीन शेख ने वक्फ बोर्ड और ट्रिब्यूनल के समक्ष मांग की है कि वक्फ संपत्तियों के पंजीकरण के लिए छह महीने की अवधि बढ़ाई जाए।

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.