Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 9
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ ,આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,

    નર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ ,આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,

    City Today DailyBy City Today DailyDecember 15, 2025
    નર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ* 
     *આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,*

    (સિટી ટુડે) નર્મદા :15

             નર્મદા જિલ્લાના સિસોદરા ગામમાં આવેલા એક આશ્રમના સાધુ વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. આ સંતની કથિત બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાને લગભગ દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સિસોદરાના ગ્રામજનો અને આશ્રમના ટ્રસ્ટીઓએ નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે, અને જો 24થી 48 કલાકમાં નિરાકરણ નહીં આવે તો ગામલોકો જાતે જ પગલાં લેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
            આ વિવાદિત સંતની પાપલીલાની વીડિયો ક્લિપ્સ વાયરલ થયા બાદ ગામના લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આશરે દોઢ મહિના પહેલા આ ઘટના બની. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, 25 નવેમ્બરના રોજ આમલેથા પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી અને એસપી કચેરીમાં સીડી સહિતના પુરાવાઓ સાથે અરજીઓ આપવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી સંત પર કોઈ એક્શન લેવાયું નથી.
            આશ્રમના ટ્રસ્ટીઓ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, આવા લંપટ સાધુને જો સરકારી તંત્ર સહકાર આપશે, તો સમાજનું અસ્તિત્વ રહેશે નહીં. તેમણે શંકા વ્યક્ત કરી છે કે આટલી બધી ફરિયાદો હોવા છતાં અને સમગ્ર મામલો જગજાહેર હોવા છતાં, કદાચ પૈસાના જોરે તંત્ર કામ કરી રહ્યું હોય. ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ સેક્સ કાંડ મંદિરના પરિસરમાં બન્યો છે, જે બહુ દુઃખદ વાત છે. આટલું જ નહીં, સ્થાનિકોએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે ગામના લોકોએ ધર્મ માટે આપેલી જમીન આ બાવાએ પોતાના નામે એટલે કે ‘એના બાપના નામે’ કરી દીધી છે. આ સાધુ સિસોદરામાં જ હાજર છે અને તેણે પોતાની સુરક્ષા માટે કેટલાક ‘ભાડુવાત’ કે ‘લુખા તત્ત્વો’ બેસાડેલા હોવાનો પણ આક્ષેપ છે.
    – *ગ્રામજનોની મુખ્ય માંગણીઓ:* 
            આ સંતને તાત્કાલિક ધોરણે આ જગ્યાએથી બરતરફ કરવામાં આવે.
            ટ્રસ્ટ સંચાલિત મંદિર અને જમીન ગામ લોકોને અને ટ્રસ્ટીઓને સોંપી દેવામાં આવે, જેથી તેઓ ભગવાનની સેવા-પૂજા ફરી શરૂ કરી શકે.
           ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો 24 કે 48 કલાકમાં આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે, તો તેઓ કાયદો હાથમાં લઈ જાતે જ પગલાં લેશે. 
          75 વર્ષના વૃદ્ધો પણ આવેદનપત્ર આપવા માટે જોડાયા અને જણાવ્યું કે 2020થી આ મામલે તેઓ ધક્કા ખાઈ રહ્યા છે.
    Post Views: 246
    @narmada @rajpipla @sisodra
    Previous Articleધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે, દિલ્હી ગેસ ચેમ્બર બનતાં ઝ્રત્નૈં ભડક્યા
    Next Article રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.