ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ
સિટી ટુડે :12
કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા દ્વારા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ખંડણીની ફરિયાદના અનુસંધાનમાં પોલીસે વધુ બે આરોપીઓને રાઉન્ડઅપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસમાં કાયદો પોતાનું કાર્ય કરી રહ્યો છે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના, ઉશ્કેરણીજનક અથવા ભાઈચારાને નુકસાન પહોંચાડે તેવા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવે તો તો તેની સામે પણ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. આરોપીઓ ના મોબાઇલ કબજે લઈ સહિતના ડિજિટલ પુરાવાની ફોરેન્સિક તપાસ (FSL) દ્વારા પણ સત્ય બહાર આવવું લાવવું જોઈએ
હાજી જુમા રાયમા વર્ષોથી હિન્દુ–મુસ્લિમ એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દ માટે કાર્ય કરતા આવ્યા છે. મુસ્લિમ સમાજ સાથે અન્યાય થાય ત્યારે પણ તેઓ અવાજ ઉઠાવે છે અને હિન્દુ સમાજ સાથે અન્યાય થાય ત્યારે પણ નિર્ભયપણે ન્યાયની વાત કરે છે. તેમના માટે ન્યાય કોઈ એક સમાજ પૂરતો મર્યાદિત નથી.
કેટલાક લોકો દ્વારા તેમની વ્યક્તિગત મુલાકાતો, હીંદુ સમાજ અને હીંદુ સંગઠન ના વિવિધ આગેવાનો સાથેના સંબંધો અથવા સામાજિક કાર્યક્રમોમાં હાજરીને લઈને અનાવશ્યક વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ હાજી જુમા ના ધરે આવે તે Rss ના સત્યમ રાવ હોય કે અન્ય હીંદુ સમાજ ના હોય તો પણ આ લોક ને તકલીફ…હાજી જુમા કોની સાથે કોની સાથે મુલાકાત કરે અથવા સામાજિક સૌહાર્દ માટે કોની સાથે કાર્ય કરે તે તેનો વ્યક્તિગત વિષય છે. જો કોઈ મુલાકાત ગુપ્ત જ હોય, તો તેના ફોટા ખુદ જુમા ભાઈ પોતે જાહેરમાં સોશિયલ મીડિયા પર મૂકવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
આજે પણ મોટાભાગના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બને છે અને ભાઈચારાને મજબૂત બનાવે છે. પરંતુ થોડા અસામાજિક તત્વો બંને સમાજ વચ્ચે ગેરસમજ અને નફરત ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. આવા લોકો સામે સમાજે સજાગ રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારનો પ્રોત્સાહન કે ટેકો આપવો જોઈએ નહીં. એકતા જાળવવી એ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.
પકડાયેલા આરોપીઓને કોણ સમર્થન આપે છે અથવા બચાવવાનો પ્રયાસ કરે છે, તે બાબતે પણ સમાજે વિચારપૂર્વક અને જવાબદારીપૂર્વક પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ. સાથે સાથે દરેક વ્યક્તિને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિર્દોષ માનવાનો સિદ્ધાંત પણ યાદ રાખવો જરૂરી છે. ( આ મેસેજ હમણાં પકડાયેલ મુસ્લિમ સમાજ ના લુખ્ખા ઓ માચે છે અને હજુ પણ નામ ખુલશે તપાસ ચાલુ છે)
( આ મેસેજ હાજી જુમા ભાઈ ની ફરીયાદ મા દરેક વ્યક્તિ ને લાગુ પડતો નથી)
(પણ અમુક લુખ્ખા જે સમાજ મા ચરી ખાય છે અને સમાજ ની એકતા તોડે છે તેના માટે છે)
હાજી જુમા રાયમાનો હંમેશાનો સંદેશ રહ્યો છે:
“અમારે હિન્દુ સમાજ સામે જીતવું નથી, હિન્દુ સમાજ સાથે જીવવું છે.”
“જીઓ અને જીને દો” — એ જ તેમનો જીવનમંત્ર છે.
“હિન્દુ જિગર છે તો મુસલમાન જાન છે, શીખ અને ઈસાઈ આ દેશની ઓળખ છે. આ બધા મળીને જ આપણું હિંદુસ્તાન બને છે.”
બસ સમાજ એટલુ જોવે કે આવા લુખ્ખા તત્વો જે હીંદુ – મુસ્લિમ બને સમાજ મા છે એને બને સમાજ મા તેને છાવરે છે કોણ

