સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.
સિટી ટુડે: 15 સુરત
સુરત શહેર સિરતુન્ની કમિટિનાં આગેવાનો સર્વ સૈયદ સિરાજ શહાબુદ્દીન (પ્રમુખ), અશદ કલ્યાણી (માજી. કોર્પોરેટર) (મહામંત્રી), ઐયુબ બોટાવાલા (ઉપપ્રમુખ), આસીફ રંગુની (ઉપપ્રમુખ), જમાલ સૈયદ (ઉપપ્રમુખ), સૈયદ સરફરાજ (ઝોન પ્રમુખ (લાલગેટ)), નિજામુદ્દીન જેનુદીન શેખ (ઝોન પ્રમુખ (સલાબતપુરા)), રોશન શેખ (ઝોન પ્રમુખ (ભેસ્તાન-ઉન)), મનસુર ચશ્માવાલા (ઝોન પ્રમુખ (ઉધના)), ફારૂકભાઈ (ઝોન પ્રમુખ (મહિધરપુરા)), હારૂનભાઇ સાહેબુ શેખ (ઝોન પ્રમુખ (ખટોદરા)) સહિત આગેવાનોએ સંયુકત એક અખબારી નિવેદનમાં જણાવ્યા હતું કે, ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશનાં વિવિધ શહેરોમાં નાના-મોટા જુલુસો કાઢી જુલુસો માધ્યમે પયગમ્બર સાહેબે સમગ્ર માનવજાતને આપેલો શાંતિ અને ભાઇચારાનો શુભ સંદેશો લોકો સુધી પહોંચાડાય છે. આ પરંપરાને વિવિધ શહેરો સાથે સુરત શહેરમાં પણ જુલુસની પ્રથમ શરૂ કરનાર સુરત શહેરની મુખ્ય સેન્ટ્રલની કમિટિ સુરત શહેર સિરતુન્નબી કમિટિએ જાળવી રાખી છે. આજે ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ) નાં ૧૫૦૧ માં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આજરોજ તા.૨૬/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૪.૦૦ કલાકે ઝાંપાબજાર મુકામેથી સુરત શહેર સિરતુન્નબી કમિટિએ પરંપરાગત રીતે એક વિશાળ જુલુસ કાઢવાનું આયોજન કર્યુ છે. સુરત શહેરના અગ્રણીઓ, મહાનુભવો લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવશે. જે પુર્વે શહેરના આ મુખ્ય જુલુસમાં વિવિધ વિસ્તારો જેવા કે બડેખા ચકલા, રાંદેર, માનદરવાજા, સલાબતપુરા, ચીમની ટેકરા, સૈયદપુરા, રામપુરા, ગોપીપુરા, મોમનાવાડ, શાહપોર, નાનપુરા, બેગમપુરા, નવશહીદનો ટેકરો તેમજ ઉન સહિત મુસ્લિમ વિસ્તારોમાંથી નાના-નાના જુલુસો ડી.કે.એમ. હોસ્પિટલની ગલીથી મુલ્લાજી દેવળી થઈ ઝાંપાબજાર ખાતે ભેગા થશે અને ત્યાંથી મુખ્ય જુલુસનું આકાર બનાવાશે ત્યારબાદ ત્યાંથી મુખ્ય જુલુસ સુરત શહેર સિરતુન્નબી કમિટિનાં નેજા હેઠળ ટાવર થઇ ભાગળ રાજમાર્ગથી લીમડાચોક, લાલગેટ થઈ ભાગાતળાવ થઇ કમાલ ગલીથી બડેખા ચકલાથી પસાર થઈ હજરત ખ્વાજાદાના (૨.હ) સાહેબની દરગાહ ખાતે પહોંચી પુરૂ થશે. જુલુસ કોમી એખલાશ અને ભાઇચારા સાથે પૂર્ણ થાય અને શહેર પોલીસ કમિશ્નરે જુલુસ બાબતે આપેલા જાહેરનામાનું ચોકકસપણે અમલ થાય તેવી જાહેર અપીલ સાથે સુરત શહેર સિરતુન્નબી કમિટિએ જુલુસ બાબતે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા કે સહયોગની આપ-લે કરવા કમિટિનાં ઉપરોકત જણાવેલા આગેવાનોનું સંપર્ક કરવા જણાવ્યુ છે.

