Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મહાકુંભમાં સેક્ટર-૧૮માં આગ

    મહાકુંભમાં સેક્ટર-૧૮માં આગ

    City Today DailyBy City Today DailyFebruary 7, 2025

    પ્રયાગરાજ, તા.૭
    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. જાે કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પીપા બ્રિજ નંબર ૧૮ પાસે આગની ઘટના બની હતી. આરએએફ, યુપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સેક્ટર ૧૮, શંકરાચાર્ય માર્ગ પર આવેલા હરિહરાનંદ કેમ્પમાં આગ લાગી હતી. પત્રકારો સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હતી અને થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની વિશેષ ટીમ આગ કયા કારણોસર લાગી તે તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે જાહેરાત કરતાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે કોઈ જાનહાનિ નથી અને બધું નિયંત્રણમાં છે. બધાએ એસેમ્બલી પોઈન્ટ પર આવવું જાેઈએ.
    આગ લાગ્યા બાદ પોન્ટૂન બ્રિજ નંબર ૧૮ પર શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. સેક્ટર ૧૮માં જ્યાં આગ લાગી હતી ત્યાં મોટી સંખ્યામાં સંતો અને મહાત્માઓ રહે છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે ભીડ છે. પોલીસ, આરએએફ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી, એક ટીમ તરીકે કામ કરી, કેટલાક સ્થળોએ રસ્તો બ્લોક કર્યો અને અન્ય સ્થળોએ માર્ગ ડાયવર્ટ કર્યો. આવી સ્થિતિમાં રાહતની વાત છે કે કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાના કારણે અંદાજે ૨૦ ડેટલા ટેન્ટ ખરાબ રીતે બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે.
    પ્રાથમિક માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાસ્થળે હાજર ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. આગને કાબુમાં લેવામાં લોકોએ પણ સહયોગ આપ્યો હતો. હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. મંડપનો થોડો ભાગ બળી ગયો હતો.

    Post Views: 454
    મહાકુંભમાં સેક્ટર-૧૮માં આગ
    Previous Articleખોટી રીતે ઘૂસ્યા તો હાંકી કાઢીશુ : ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ અમેરિકન એમ્બેસીનું નિવેદન
    Next Article સરકારની સત્તાવાર જાહેરાત, હજુ ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરશે અમેરિકા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.