Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મહાકુંભમાં સેક્ટર-૧૮માં આગ

    મહાકુંભમાં સેક્ટર-૧૮માં આગ

    City Today DailyBy City Today DailyFebruary 7, 2025

    પ્રયાગરાજ, તા.૭
    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. જાે કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પીપા બ્રિજ નંબર ૧૮ પાસે આગની ઘટના બની હતી. આરએએફ, યુપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સેક્ટર ૧૮, શંકરાચાર્ય માર્ગ પર આવેલા હરિહરાનંદ કેમ્પમાં આગ લાગી હતી. પત્રકારો સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હતી અને થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની વિશેષ ટીમ આગ કયા કારણોસર લાગી તે તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે જાહેરાત કરતાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે કોઈ જાનહાનિ નથી અને બધું નિયંત્રણમાં છે. બધાએ એસેમ્બલી પોઈન્ટ પર આવવું જાેઈએ.
    આગ લાગ્યા બાદ પોન્ટૂન બ્રિજ નંબર ૧૮ પર શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. સેક્ટર ૧૮માં જ્યાં આગ લાગી હતી ત્યાં મોટી સંખ્યામાં સંતો અને મહાત્માઓ રહે છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે ભીડ છે. પોલીસ, આરએએફ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી, એક ટીમ તરીકે કામ કરી, કેટલાક સ્થળોએ રસ્તો બ્લોક કર્યો અને અન્ય સ્થળોએ માર્ગ ડાયવર્ટ કર્યો. આવી સ્થિતિમાં રાહતની વાત છે કે કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાના કારણે અંદાજે ૨૦ ડેટલા ટેન્ટ ખરાબ રીતે બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે.
    પ્રાથમિક માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાસ્થળે હાજર ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. આગને કાબુમાં લેવામાં લોકોએ પણ સહયોગ આપ્યો હતો. હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. મંડપનો થોડો ભાગ બળી ગયો હતો.

    Post Views: 478
    મહાકુંભમાં સેક્ટર-૧૮માં આગ
    Previous Articleખોટી રીતે ઘૂસ્યા તો હાંકી કાઢીશુ : ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ અમેરિકન એમ્બેસીનું નિવેદન
    Next Article સરકારની સત્તાવાર જાહેરાત, હજુ ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરશે અમેરિકા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.