Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, May 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મણિપુરમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની

    મણિપુરમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની

    City Today DailyBy City Today DailyMay 28, 2025

    મણિપુર, તા.૨૮
    મણિપુરમાં સરકાર બનાવવાની ગતિવિધિ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીના નેતા રાધેશ્યામ સિંહે બુધવારે (૨૮ મે, ૨૦૨૫) રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ભાજપના નેતા નવ અન્ય ધારાસભ્યો સાથે રાજભવનમાં રાજ્યપાલને મળ્યા હતા.
    ભાજપના નેતા રાધેશ્યામ સિંહે કહ્યું, “લોકોની ઇચ્છા મુજબ ૪૪ ધારાસભ્યો સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્યપાલને આ વાત જણાવી છે. અમે આ મુદ્દા માટે કયા ઉકેલો હોઈ શકે છે તેની પણ ચર્ચા કરી છે. ૪૪ ધારાસભ્યો લોકોની ઇચ્છા મુજબ સરકાર બનાવવા માટે તૈયાર છે.” તેમણે કહ્યું, “રાજ્યપાલે અમારી વાતની નોંધ લીધી છે અને લોકોના શ્રેષ્ઠ હિતમાં કાર્યવાહી શરૂ કરશે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, ત્યારે તેમણે કહ્યું કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ર્નિણય લેશે. ભાજપના નેતા રાધેશ્યામ સિંહે કહ્યું, “અમે તૈયાર છીએ એમ કહેવું એ સરકાર બનાવવાનો દાવો કરવા જેવું છે. વિધાનસભા અધ્યક્ષ સત્યવ્રતે વ્યક્તિગત અને સંયુક્ત રીતે ૪૪ ધારાસભ્યોને મળ્યા છે. કોઈએ નવી સરકારની રચનાનો વિરોધ કર્યો નથી.” તેમણે કહ્યું, “લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
    છેલ્લા કાર્યકાળમાં કોવિડને કારણે બે વર્ષ વેડફાયા હતા અને આ કાર્યકાળમાં સંઘર્ષને કારણે બે વર્ષ વેડફાયા છે.”
    ભાજપ નેતા એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. મે ૨૦૨૩માં શરૂ થયેલી મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસાને લઈને કોંગ્રેસે એન બિરેન સિંહ સરકાર પર જાેરદાર નિશાન સાધ્યું હતું. મણિપુરમાં હાલમાં ૬૦ સભ્યોની વિધાનસભામાં ૫૯ ધારાસભ્યો છે. એક ધારાસભ્યના મૃત્યુને કારણે એક બેઠક ખાલી છે.
    ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં કુલ ૪૪ ધારાસભ્યો છે, જેમાં ૩૨ મેઇતેઈ, ત્રણ મણિપુરી મુસ્લિમ અને નવ નાગા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પાંચેય ધારાસભ્યો મેઇતેઈ સમુદાયના છે. બાકીના ૧૦ ધારાસભ્યો કુકી છે – તેમાંથી સાત ભાજપની ટિકિટ પર છેલ્લી ચૂંટણી જીત્યા હતા, બે કુકી પીપલ્સ એલાયન્સના છે અને એક અપક્ષ ધારાસભ્ય છે.

    Post Views: 335
    મણિપુરમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની
    Previous Articleકોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ ચિંતાજનક નથી : ICMRના વડા
    Next Article પર્વત પાટિયા વિસ્તારમાં લોકો પાણીથી ત્રસ્ત, આપ-ભાજપ લડવામાં મસ્ત, કોંગ્રેસના ઘોડાઓ પાણીમાં ચાલતા નથી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.