Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રાખવામાં આવી મુલતવી

    કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રાખવામાં આવી મુલતવી

    City Today DailyBy City Today DailyJuly 15, 2025

    કેરળ,તા.૧૫
    કેરળની નર્સ નિમિષા પ્રિયાની મુલતવી રાખવામાં આવી ફાંસી, યમનથી આવ્યા મોટા સમાચારનિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
    તે ૨૦૧૭ થી યમનમાં જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી. જાેકે, હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
    ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજાને લઈને સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, યમનમાં હાલ તેની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યમનમાં ૧૬ જુલાઈએ તેને ફાંસી આપવાની હતી. નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તે ૨૦૧૭ થી યમનમાં જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા કરવાની દોષી ઠેરવવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે, તેણે મહદીને એનેસ્થેસિયાના ઇન્જેક્શન આપ્યા હતા જેથી તેનો પાસપોર્ટ તેની પાસે જમા થઈ શકે, પરંતુ આ ઇન્જેક્શનને કારણે મહદીનું મૃત્યુ થયું હતું. કેરળના પલક્કડની નર્સ નિમિષા છેલ્લા દાયકાથી તેના પતિ અને પુત્રી સાથે યમનમાં કામ કરી રહી હતી. ૨૦૧૬ માં યમનમાં ગૃહયુદ્ધને કારણે, દેશની બહાર મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં, તેના પતિ અને પુત્રી ૨૦૧૪ માં જ ભારત પાછા ફર્યા હતા. પરંતુ નિમિષા પાછી ફરી શકી નહીં. આ પછી, નર્સ પર જુલાઈ ૨૦૧૭ માં યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેથી, ૭ માર્ચ, ૨૦૧૮ ના રોજ, યમનની કોર્ટે નિમિષાની મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું હતું. એટર્ની જનરલે કહ્યું કે યમનના હુથી-નિયંત્રિત વિસ્તારોમાં મર્યાદિત પહોંચને કારણે વાટાઘાટો મુશ્કેલ હતી. ફાંસી મુલતવી રાખવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય દબાણ અને તલાલના પરિવાર સાથે વાતચીતની શક્યતાએ આ ર્નિણયને પ્રભાવિત કર્યો હતો.
    આ ઘટના ભારત માટે રાહતની વાત છે, પરંતુ નિમિષાના પરિવાર અને સમર્થકો નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી ચિંતિત રહેશે. સરકાર અને એક્શન કાઉન્સિલ હવે આ તકનો ઉપયોગ તલાલના પરિવાર સાથે માફી માટે વાટાઘાટો આગળ વધારવા માટે કરી શકે છે.

    Post Views: 693
    કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રાખવામાં આવી મુલતવી
    Previous Articleપેલેસ્ટાઈન-ગાઝા અંગે ઈઝરાયલના ખતરનાક ઈરાદા સામે આવ્યા
    Next Article રાહુલ ગાંધી સરન્ડર

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.