Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હીરાના વેપારીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા ધંધાકીય લેવડ દેવડ હોય અને અમુક પેયમેન્ટ બાકી હોય તો તે ગુનાહિત વિશ્વાસઘાત નથી!

    હીરાના વેપારીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા ધંધાકીય લેવડ દેવડ હોય અને અમુક પેયમેન્ટ બાકી હોય તો તે ગુનાહિત વિશ્વાસઘાત નથી!

    City Today DailyBy City Today DailyAugust 3, 2025

    રૂ.૫૬ લાખ ઉપરાંતના હીરાનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવતા
    કતારગામ પોલીસ મથકમાં ૨ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો
    (સિટી ટુડે) સુરત તા.૦૩
    અગાઉ ધંધાકીય લેવડ-દેવડ થઈ હોઈ અને કોઈ વ્યાપારમાં પેમેન્ટ ન ચૂકવાય તો તે બનાવ ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યામાં આવતો નથી એવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખી રૂ.૫૬ લાખ ઉપરાંતના હીરાનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાના કેસમાં વેપારીને સેશન્સ કોર્ટે શરતોનો આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
    આ કેસની વિગત એવી છે કે અશોક ધરમશીભાઈ ખેની (રહે. ૧૦૧, શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ, અડાજણ) અને ઘનશ્યામ કોબડી (રહે. ૫૭, શ્યામ વિલા સોસાયટી, સરથાણા જકાતનાકા) વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં રૂ. ૫૬,૨૨,૬૪૧/- નો હીરાનો માલ ખરીધ્યા બાદ પેમેન્ટ ન આપતા આઈ.પી. સી. ૪૨૦, ૪૦૯ અને ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે આરોપી અશોક ખેનીની તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ધરપકડ કરી હતી. જેથી આ આરોપીએ એડવોકેટ અશ્વિન જે. જાેગડિયા મારફતે સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી બચાવ રજૂ કર્યો હતો કે, પક્ષકારો વચ્ચે આ બનાવ અગાઉ હિરાની લેવડદેવડના વ્યવહારો થયા હતા, અને તેમાં પેમેન્ટ પણ ચુકવાયું છે. જેથી આ સંજાેગોમાં છેતરપિંડીનો આ કેસ નથી, અને આવો વ્યવહાર નાણાંકીય લેવડ દેવડનો હોવાથી સિવિલ નેચરનો બનાવ છે. જેને ખોટી રીતે ફોજદારી રૂપ આપવામાં આવ્યું છે. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે બાકી નાણાં ન ચુકવાતા હાલની એફ આઈ આર થઈ હોવાનું અને વેપારી વ્યવહાર હોવાનું ટાંકીને આરોપીને શરતોને આધીન રૂ. ૫૦,૦૦૦ ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

    Post Views: 185
    @suratadvocate
    Previous Article૧૯ વર્ષીય શિક્ષિકા આપઘાત કેસમાં આરોપીની અરજી નામંજુર કરતી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ
    Next Article પૈસાની લેવડ-દેવડ તથા અગાઉની અદાવત રાખી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્તી કોર્ટ

    Related Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    July 29, 2026

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    July 27, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.