Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પૈસાની લેવડ-દેવડ તથા અગાઉની અદાવત રાખી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્તી કોર્ટ

    પૈસાની લેવડ-દેવડ તથા અગાઉની અદાવત રાખી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્તી કોર્ટ

    City Today DailyBy City Today DailyAugust 3, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૦૩
    આ કામે ગુનાની હકીકત એવી છે કે, તા.૦૯/૦૭/૨૦૧૯ ના કલાક ૨૨/૨૫ વાગ્યા પહેલા પુણાગામ નયા કમેલા, આનંદ નગર ઝુપડપટ્ટીમાં આવેલ સંતોષ ગુપ્તાના મકાનના ઓટલા પાસે આ કામના આરોપીઓ ઈકલાબ ઉર્ફે પાપડી ઉર્ફે યાસીન, ઈરફાન ઉર્ફે એલ.ડી. અને સદામ અલીનાઓ તથા મરણ જનાર ફારૂક ચારેય જણા ભેગા મળીને નાસ્તો કરતા હતા, તે દરમિયાન આરોપીઓએ પૈસાની લેવડ-દેવડમાં મરણ જનાર ફારૂક નાસીર સૈયદ, રહે. નયા કમેલા, સંજયનગર, ઝુંપડપટ્ટી, સુરતનાઓ સાથે અગાઉ ઝઘડો થયેલ, જેની અદાવત રાખી મરણ જનાર ફારૂક સાથે ઝઘડો કરેલો, જેમાં આરોપી નં.૩ સદામે મરણ જનાર ફારૂકના માથામાં ત્રણ-ચાર લાકડાના ફટકા મારેલ અને તેના હાથમાંથી લાકડાનો ફટકો લઈ ઈરફાને પણ મરણ જનાર ફારૂકના માથામાં ફાટકા મારેલા, જેને લીધે ફારૂક રેલ્વે લાઈન ઉપર ભાગતા ત્રણેય આરોપીઓએ તેની પીછો કરેલો અને મરણજનાર ફારૂક ઢાળ ચડતા પડી જતા આરોપીઓ તેની પાસે પહોંચી ગયેલા અને આરોપી ઈકબાલે તિક્ષ્ણ હથિયાર છરાથી મરણ જનાર ફારૂકના છાતીના ભાગે ત્રણ-ચાર ઘા મારી મોત નીપજાવેલું અને મરણ જનારની લાશને આરોપી સુનીલને પણ સાથે રાખીને ચારેય જણાએ રેલ્વે લાઈન પર નાંખી દીધેલ, તે મતલબની ફરિયાદ, ફરિયાદી ફીરોજઅલી નાસીરઅલી સૈયદનાઓએ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આપેલી.
    આ કામે હાલમાં ટ્રાયલ ચાલી જતાં ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ વ્યાજબી શંકાથી પર રીતે સાબિત કરવામાં નિષ્ફળ નિવડયો હોય, નામ. એડી. સેશન્સ જજ સાહેબે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે. આરોપી ઈકબાલ ઉર્ફે પાપડી ઉર્ફે યાસીન શેખ તથા આરોપી સદ્દામઅલી હનિફ શેખ તરફે એડવોકેટ રોહન કિરીટ પાનવાલા તથા એડવોકેટ સમીરા એચ. મલેનાએ દલીલો કરી હતી અને આરોપી ઈરફાનખાન ઉર્ફે એલ. ડી. લીયાકત ખાન તથા આરોપી સુનીલ ઉર્ફે દંડન સુરેશ જાદવ તરફે એડવોકેટ ઝફર કે. બેલાવાલાનાઓએ દલીલ કરી હતી. નામ. કોર્ટે એડવોકેટનાઓની એવી દલીલો ગ્રાહય રાખી હતી કે, આ કામે તમામ પંચો હોસ્ટાઈલ છે અને તપાસ કરનાર અધિકારીનો પંચનામાની હકીકતો સંબંધેનો પુરાવો નથી, તે સંજોગોમાં પંચનામાઓનો પુરાવો ફરિયાદ પક્ષના કેસને મદદરૂપ નથી તેમજ આરોપીઓને માત્ર સાયન્ટીફીક પુરાવાના આધારે ગુના સાથે સાંકળી તક્ષીરવાન ઠરાવી શકાય તેટલો પર્યાપ્ત પુરાવો રેકર્ડ પર આવેલ નથી. આરોપીઓની ઓળખ સંબંધે વિસંગતતા રેકર્ડ પર આવેલ છે. ફરિયાદ પક્ષના પુરાવામા ઘણી મહત્વની બાબતોમાં વિસંગતતા છે અને વિસંગતતાના કારણે ફરિયાદ પક્ષનો પુરાવો શંકાસ્પદ બની જાય છે અને શંકાસ્પદ પુરાવાનો લાભ આરોપીઓને મળવો જોઈએ, તે કાયદાનો સિધ્ધાંત છે, જેથી ફરિયાદ પક્ષ આરોપીઓ વિરૂધ્ધનો ગુનો નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલ છે. જે દલીલો માની નામ. કોર્ટે આરોપીઓને શંકાનો લાભઆપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
    આરોપી ઈકબાલ ઉર્ફે પાપડી ઉર્ફે યાસીન શેખ તથા આરોપી સદ્દામઅલી હનિફ શેખ તરફે એડવોકેટ રોહન કિરીટ પાનવાલા તથા એડવોકેટ સમીરા એચ. મલેક નાએ દલીલો કરી હતી અને આરોપી ઈરફાનખાન ઉર્ફે એલ. ડી. લીયાકત ખાન તથા આરોપી સુનીલ ઉર્ફે દંડન સુરેશ જાદવ તરફે એડવોકેટ ઝફર કે. બેલાવાલા નાઓએ સફળ રજુઆતો કરેલ છે.

    Post Views: 235
    @suratadvocate
    Previous Articleહીરાના વેપારીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા ધંધાકીય લેવડ દેવડ હોય અને અમુક પેયમેન્ટ બાકી હોય તો તે ગુનાહિત વિશ્વાસઘાત નથી!
    Next Article રિકન્સ્ટ્રકશન સ્થળે જ રાજસ્થાન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં પોલીસને આવી ગયા આંટા, માંડ-માંડ પ્રક્રિયા થઇ પૂર્ણ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.