Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મોદીએ મને ફોન કરી કહ્યું કે હવે અમે યુદ્ધ નહીં કરીએ, ઓપરેશન સિંદૂર અંગે ટ્રમ્પનો વધુ એક દાવો

    મોદીએ મને ફોન કરી કહ્યું કે હવે અમે યુદ્ધ નહીં કરીએ, ઓપરેશન સિંદૂર અંગે ટ્રમ્પનો વધુ એક દાવો

    City Today DailyBy City Today DailyNovember 20, 2025

    વોશિંગ્ટન, તા.૨૦
    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને રોકવાનો શ્રેય પોતાને આપ્યો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો પર ૩૫૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપીને યુદ્ધ ટાળ્યું હતું. ટેરિફની ધમકી આપતા ટ્રમ્પે દોવો કર્યો હતો કે, ભારત અને પાકિસ્તાન પરમાણુ હથિયાર સાથે લડવાના હતા. મેં કહ્યું, તમે લોકો લડી શકો છો, પણ હું બંને દેશો પર ૩૫૦ ટકા ટેરિફ લાદીશ. અમેરિકા સાથે કોઈ વેપાર થશે નહીં. આ ધમકીના બે દિવસમાં જ બંને દેશોના નેતાઓએ ફોન પર સંપર્ક કરીને તેમને આવું ન કરવા વિનંતી કરી.

    પાકિસ્તાનના વડાપ્રધાન (શાહબાઝ શરીફ) એ મને ફોન કરીને લાખો લોકોના જીવ બચાવવા બદલ આભાર પણ માન્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તે આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકેલવામાં નિષ્ણાત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની કથિત વાતચીત અંગે ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો અને કહ્યું,અમારું કામ પૂર્ણ થયું. મેં કહ્યું, તમારું શું કામ પૂર્ણ થયું? તેમણે જવાબ આપ્યો, અમે યુદ્ધમાં નહીં જઈએ. પછી મેં પીએમ મોદીનો આભાર માન્યો અને કહ્યું, ચાલો એક ડીલ કરીએ.

    પોતાના વખાણ કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ અન્ય રાષ્ટ્રપતિ આવું નથી કરતા અને તેમણે વેપાર અને ટેરિફ દ્વારા આઠમાંથી પાંચ યુદ્ધો ઉકેલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના આ દાવા અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભૂતકાળમાં પણ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા અંગે સમાન દાવા કર્યા છે, જેનું ભારતે ખંડન કર્યું હતું.

    Post Views: 193
    @oprationsindoor @trump @modi #oprationsindoor
    Previous Articleશિક્ષકે ૧૦૦ ઉઠક-બેઠક સજા આપતા ૧૨ વર્ષની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું
    Next Article યુદ્ધવિરામ લાગુ છતાં ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, ૨૭ના મોત

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025

    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    December 18, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.