આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા વિનંતી
સિટી ટુડે:05
આજે જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાએ રાજયના પોલીસ વડા શ્રી ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાને આવેદનપત્ર આપ્યુ હતું.
આવેદનપત્રમાં આભાર સહ વિનંતી કરતા જણાવ્યું કે તા. ૧૮-૦૫-૨૦૨૬ થી તા. ૦૩-૦૬-૨૦૨૬ સુધી ઈદુલ અઝા નો ધાર્મિક તહેવાર સંવૈધાનિક અધિકાર મુજબ પરંપરાગત રીતે ઉજવી શકે માટે ગાય કે ગૌવંશ સિવાયના નિયમોનુસાર કાયદા દ્વારા પ્રમાણિત પશુઓની હેરફેર કરનાર વ્યક્તિઓ ની ગેરબંધારણીય રીતે કટ્ટરવાદી સંગઠનો દ્વારા કનડગત તથા હેરાનગતિ ના થાય માટે ન્યાયિક આદેશ કરવા આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે.
ગાય તથા ગૌવંશ સિવાયના ફકત કાયદા મુજબના નિયમોનુસાર પશુ ખરીદીની રેવન્યુ સ્ટેમ્પ ધરાવતી રીસીપ્ટ અને પશુ હેરફેર કરવાની કાયદાથી નિર્દિષ્ટ આર.ટી.ઓ. પરમીટ ધરાવતા વાહનોમાં ખરીદીના પુરાવા સાથે પરમીટમાં જણાવેલ સંખ્યા જેટલા પશુઓ માટે ઘાસ-પાણીની વ્યવસ્થા સાથે હેરફેર કરનાર વ્યક્તિની ગેરસંવૈધાનિક રીતે ખોટી કનડગત ના થાય તેની કાળજી રાખી આપના દ્વારા પ્રસિદ્ધ થયેલ પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા રાજયની તમામ સરહદી ચેકપોસ્ટ સહિત રાજ્યના પોલીસ વડા તરીકે પરિપત્ર બહાર પાડી રાજયના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, પોલીસ અધિક્ષકશ્રીઓ, રેન્જ વડાશ્રીઓ અને રાજ્યના પોલીસ સ્ટેશનોને ફેકસ, ઈમેલ તથા વાયરલેસ મેસેજ દ્વારા જાણ કરવામાં આવે તેવી આગ્રહભરી વિનંતી છે.

