લખનૌ, તા.૨૫
ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ દુષ્કર્મ કેસ, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો, તે ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ દિલ્હી હાઇકોર્ટનો તાજેતરનો આદેશ છે, જેમાં આરોપી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જામીન આપવામાં આવ્યા હતા. આનાથી પીડિતાના જૂના ઘા ફરી તાજા થયા છે. આ આદેશ બાદ, પીડિતાએ પોતાની દુર્દશા વિશે વાત કરી. તેણે આરોપ લગાવ્યો કે ઇÂન્ડયા ગેટ વિરોધ દરમિયાન, પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો. મારા આખા શરીરમાં લગભગ ૨૫૦ ટાંકા છે, અને મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે. છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો.”
દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા પીડિતાએ કહ્યું કે, હું હાઇકોર્ટ ગઈ. ચુકાદો સાંભળતી વખતે મેં વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ મારું કોણ સાંભળે? આખી ચર્ચા અંગ્રેજીમાં થઈ. જા ચર્ચા હિન્દીમાં હોત, તો કદાચ હું પૂછી શકી હોત કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. હવે મને સમજાયું કે સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ અને પીડિત મહિલાઓ માટે ન્યાય કેટલો જટિલ બની ગયો છે. ચુકાદા પછી હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હું એટલી દુઃખી હતી કે મને આપઘાત કરવાનું મન થયું. પણ પછી મેં મારા બાળકો તરફ જાયું અને મારા પરિવાર વિશે વિચાર્યું. મૃત્યુ ન્યાય નહીં આપે, જા ભગવાને મને જીવતી રાખી છે, તો કદાચ સંઘર્ષ માટે રાખી છે. મારો સીધો સવાલ છે કે, જા આવા જઘન્ય ગુનાના આરોપીને જામીન મળી શકે તો પીડિત અને સાક્ષીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે? આ વિશે વધુમાં પીડિતાએ આરોપ લગાવ્યો કે, જામીનની પ્રક્રિયા દરમિયાન અને ત્યારબાદ મારા પરિવાર, વકીલો અને સાક્ષીઓની સુરક્ષા ધીમે ધીમે પાછી ખેંચી લેવામાં આવી. મારા કાકાના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પછી અમારા સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.









