Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરાઇ

    મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરાઇ

    City Today DailyBy City Today DailyNovember 27, 2025

    મિરઝાપુર, તા.૨૭
    ઉત્તર પ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આવેલી જામા મસ્જિદમાં રાતે આગ લગાવી દેવામાં આવી હતી. મસ્જિદનો ગેટ પણ આ આગની લપેટમાં આવી ગયો હતો. આ સાથે જ મસ્જિદના ગેટને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી અને ભારે સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

    હવે મિરઝાપુર પોલીસે એ તમામ લોકોની ધરપકડ કરી લીધી છે જેમણે મસ્જિદમાં આગ લગાવી હતી. તમને જણાવી દઈએ કે, આ તમામ લોકો મસ્જિદમાં આગ લગાવીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસે તપાસ બાદ આ તમામને દબોચી લીધા છે. આ સમગ્ર ઘટના મિરઝાપુરના ચુનાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોચી ટોલામાં સ્થિત જામા મસ્જિદમાં ઘટી હતી. અહીં રાતે લગભગ ૨:૦૦ વાગ્યે મસ્જિદમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી. આ જાેઈને ઘટનાસ્થળે હડકંપ મચી ગયો અને લોકોએ પોલીસને ઘટના અંગે જાણ કરી. આ આગની લપેટમાં મસ્જિદના મુખ્ય ભવનનો ગેટ, લાકડાના દરવાજા આવી ગયા અને મસ્જિદમાં રાખેલો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આ મામલે પોલીસે ૫ યુવકોને જેલ ભેગા કરી દીધા છે.

    તપાસમાં સામે આવ્યું છે કે, દારૂના નશામાં આ યુવકોએ મસ્જિદમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ઊભો થયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. ઈન્સ્પેક્ટર વિજય શંકર સિંહના જણાવ્યા પ્રમાણે પોલીસે આ મામલે રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરી છે.

    Post Views: 156
    ગણેશ પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરાઇ મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી રણજીત સેઠ રોહિત ગુપ્તા
    Previous Articleઉડતા ગુજરાત નહીં, આ તો ઝૂમતા ગુજરાત છે : પ્રતાપ દૂધાત
    Next Article SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ, આધાર કાર્ડના આધારે આપી દઈએ ઘૂસણખોરોને પણ નાગરિકતા?

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.