રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા
સિટી ટુડે; 22
ખાસ અપીલ
રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝા બાબતે પરિપત્ર બહાર પાડી ગાય અને ગૌવંશ સિવાયના કાયદા દ્વારા પ્રમાણિત પશુઓનું પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગેનો પરિપત્ર બહાર પાડયા બાદ પણ રાજયના અનેક સ્થળેથી અસામાજિક તત્વો દ્વારા કાયદેસરના પશુઓ તથા હેરફેર કરતા વાહન ચાલકોને ખોટી રીતે કનડગત કરવાની ફરિયાદો મળેલ છે.
હેરાનગતિથી રક્ષણ મેળવવા DGP સાહેબના પરિપત્રનું ચુસ્તપણે પાલન થાય તે માટે સ્થાનિક પોલીસ તંત્રને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવા જીપીસીસીના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઇમરાનખેડા વાલા અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહમ્મદ જાવેદ પીરજાદાની અપીલ…

