Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, August 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    City Today DailyBy City Today DailyMay 21, 2026

    સિટી ટુડે;20

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ

     

    પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

     

    ખાસ અપીલ

     

    સમગ્ર રાજયના શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા કાયદા દ્વારા પ્રમાણિત પશુની હેરફેરમાં ખોટી કનડગતથી રક્ષણ મેળવવા સ્થાનિક પોલીસ તંત્રને રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝા બાબતે કરેલ પરિપત્ર સાથેનું અચૂક આવેદનપત્ર આપી સામાજિક જવાબદારી નિભાવવા અપીલ

     

    ઈદુલ અઝહાના તહેવાર આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાએ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પોલીસવડા ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ સાથે તા. ૫-૫-૨૦૨૬ના રોજ રૂબરૂ મુલાકાત કરી ખાસ વિનંતી કરતા જણાવ્યું હતું કે આપણા ભારત દેશમાં સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક આસ્થા – ભાવના ગાય તેમજ ગૌવંશ સાથે સંકળાયેલ હોઈ મુસ્લિમ સમાજ હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાઓનો આદર-સન્માન કરી ગાય કે ગૌવંશની કુરબાનીથી હરહંમેશ અલિપ્ત રહ્યો છે અને રહેશે.

    ગાય કે ગૌવંશ પ્રતિબંધિત પશુઓ સિવાયના જે પશુઓને કાયદા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે તેવા માત્ર ભેંસ, પાડા, ઘેટાં બકરા જેવા કાયદા મુજબના પશુઓની હેરફેર કરતા વાહનચાલકોની ખોટી રીતે હેરાનગતિ ના થાય એ સુનિશ્ચિત કરવા ડીજીપી સાહેબને વિનંતી કરતા રાજય પોલીસ વડાએ પરિપત્ર દ્વારા ગુજરાતના તમામ શહેર-જિલ્લા પોલીસને જાણ કરી છે.

     

    ખાસ નોંધ : રાજયના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝહા તહેવાર બાબતે કાયદા દ્વારા પ્રમાણિત નીતિ નિયમો અનુસાર પરિપત્રનો ચુસ્ત અમલ કરી પશુઓની હેરફેર દરમ્યાન ખોટી કનડગતથી બચવા નીચે જણાવેલ બાબતોની અચૂક તકેદારી રાખવી ફરજિયાત છે.

     

    ૧) રાજયના પોલીસ વડા દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રની ઝેરોક્ષ કોપી સાથે રાખવી.

     

    ૨) પશુહેરફેર માટેના આરટીઓ પરમીટ ધરાવતા વાહનોમાં જ પશુઓની હેરફેર કરી શકાશે.

     

    ૩) આરટીઓ દ્વારા વાહન પરમીટમાં જેટલી સંખ્યામાં દર્શાવેલ હશે માત્ર તેટલા જ પશુની હેરફેર કરી શકાશે.

     

    ૪) પશુના મૂળ માલિકનો રેવન્યુ સ્ટેમ્પવાળો વેચાણ ખત તેમજ મોબાઈલ નંબર અચૂક સાથે રાખવા.

     

    ૫) વાહનમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ફરજિયાત રાખવી પડશે.

     

     

    Post Views: 529
    @eid #eid @gujarat #gujarat @muslim #muslim
    Previous Articleદસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ
    Next Article રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.