Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, May 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો

    મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો

    City Today DailyBy City Today DailyNovember 29, 2025

    કોલકાતા, તા.૨૯
    કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ ૨૦૨૫નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં રાજ્યની લગભગ ૮૨,૦૦૦ વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

    અહેવાલો અનુસાર, મમતા સરકારનો આ યુ-ટર્ન રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ જાહેરમાં જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળમાં આ નવા કાયદાને લાગુ થવા દેશે નહીં. એપ્રિલમાં જ્યારે સંસદમાં આ બિલ પસાર થયું હતું, ત્યારે રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.

    તેમણે નવમી એપ્રિલના રોજ જૈન સમુદાયના એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે, હું બંગાળમાં વક્ફ સુધારા કાયદાને લાગુ થવા દઈશ નહીં… તેમનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. રાજ્ય સરકારે ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ લડી હતી, પરંતુ કોર્ટમાંથી તેમને કોઈ અનુકૂળ ર્નિણય મળ્યો નહોતો. કાયદાની કલમ  3B સ્પષ્ટ આદેશ આપે છે કે બધી નોંધાયેલ વક્ફ મિલકતોની માહિતી છ મહિનાની અંદર કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ થવી જાેઈએ. આ સમયમર્યાદા પૂરી થવાના આરે હોવાથી રાજ્ય વહીવટીતંત્રે હવે તાત્કાલિક ડેટા-એન્ટ્રી પ્રક્રિયા શરુ કરવાના પગલાં લીધા છે.

    વક્ફ સુધારો અધિનિયમ ૨૦૨૫માં કરવામાં આવેલી કેટલીક મહત્ત્વપૂર્ણ જાેગવાઈઓ વિવાદનું કેન્દ્ર બની હતી. વક્ફ બોર્ડ અને વક્ફ ટ્રિબ્યુનલમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક કરવી. કોઈપણ મિલકતને વક્ફ તરીકે જાહેર કરવા અંગે સરકારનો અંતિમ ર્નિણય માન્ય ગણવો. આ જાેગવાઈઓના કારણે જ પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. જાે કે, કેન્દ્રના આદેશનું પાલન કરવું રાજ્ય સરકાર માટે ફરજિયાત બનતાં મમતા સરકારે કાયદાનો સ્વીકાર કરવો પડ્યો છે.

    Post Views: 106
    મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો
    Previous Articleભાઈચારાનું ઉદાહરણ, મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો
    Next Article જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે : મૌલાના મદની

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.