Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આમ આદમી પાર્ટી સાથે કરાયેલું જાેડાણ ભૂલ હતી : કોંગ્રેસ

    આમ આદમી પાર્ટી સાથે કરાયેલું જાેડાણ ભૂલ હતી : કોંગ્રેસ

    City Today DailyBy City Today DailyDecember 26, 2024

    હૈદરાબાદ, તા.૨૬
    લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ દિલ્હી કોંગ્રેસના નેતા અજય માકને આમ આદમી પાર્ટી સરકાર સાથેના જાેડાણને ‘ભૂલ’ ગણાવી હતી. માકને જણાવ્યું હતું કે હવે આ ભૂલ સુધારવી જરૂરી છે. દિલ્હીમાં ૧૨ સૂત્રીય ‘શ્વેતપત્ર’ જાહેર કરતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી(આપ) અને ભાજપ પર પ્રદૂષણ, નાગરિક સુવિધાઓ અને કાયદો-વ્યવસ્થા જેવા વિવિધ મુદ્દાઓ પર તેમના કથિત અધુરા વચનો અને ગેરવ્યવસ્થાને લઈને નિશાન તાક્યું છે. એક પત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ખજાનચી અજય માકને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકીને કહ્યું કે તેમની પાર્ટી જનલોકપાલ આંદોલનના બળ પર સત્તામાં આવી, પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. આ પ્રસંગે, તેમણે ‘મૌકા મૌકા, હર બાર ધોખા’ શીર્ષક સાથે શ્વેતપત્ર જાહેર કરીને કહ્યું કે, જાે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું એક શબ્દમાં વર્ણન કરવામાં આવે તો એ ફક્ત ફર્જીવાલ છે. આખા દેશમાં છેતરપિંડીનો જાે કોઈ રાજા છે તો એ કેજરીવાલ છે, અને એટલા માટે અમે કેજરીવાલ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારની સામે શ્વેતપત્ર લઈને આવ્યા છીએ. આ બાબતને લઈને હજુ સુધી ભાજપ કે આમ આદમી પાર્ટીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    Post Views: 534
    આમ આદમી પાર્ટી સાથે કરાયેલું જાેડાણ ભૂલ હતી : કોંગ્રેસ
    Previous Article૨૪ કલાકમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ I.N.D.I.A.થી બહાર
    Next Article હિંસા બાદ સંભલમાં જામા મસ્જિદની સામે બનાવાશે પોલીસ ચોકી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.