Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા?

    ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા?

    City Today DailyBy City Today DailyFebruary 6, 2025

    નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને રાખવામાં આવે છે ઃ જયશંકર
    નવી દિલ્હી, તા.૬
    અમેરિકાથી ભારતીયોની વાપસી અંગે સંસદમાં મચેલી બબાલને શાંત કરવા માટે વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આ તમામ ભારતીયોને કેમ અમેરિકી વાયુસેનાના વિમાનમાં હાથ પગ બાંધીને બેસાડવામાં આવ્યા હતા? એસ જયશંકરે જણાવ્યું કે આ તમામ દેશોની જવાબદારી છે કે જાે તેમના નાગરિક વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા મળી આવે તો તેમને પાછા લઈ લેવા જાેઈએ. એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમેરિકામાં લોકોને પાછા મોકલવાની (ડિપોર્ટ કરવાનું) પ્રક્રિયા ત્યાંની ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ  ઓથોરિટી કરે છે.
    ભારતીયોને સાંકળથી હાથ પગ બાંધવા અંગે મચેલા વિવાદ પર બોલતા તેમણે કહ્યું કે, ૨૦૧૨થી લાગૂ એક નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને (રિસ્ટ્રેન) રાખવામાં આવે છે. પરંતુ  એ અમને જણાવ્યું છે કે મહિલાઓ અને બાળકો આ પ્રક્રિયાથી મુક્ત હોય છે.
    એટલે કે તેમને બાંધવામાં આવતા નથી. જાે કે એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમે અમેરિકી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે પાછા ફરનારા લોકો સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. અમેરિકાથી ભારત પાછા લાવવામાં આવેલા ૧૦૪ ભારતીયો મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં કહ્યું કે ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનો આ મામલો કોઈ નવો નથી. અમેરિકી નિયમો મુજબ આ રીતે ભારતીયોને મોકલવામાં આવ્યા છે. વિદેશમંત્રીએ કહ્યું કે ડિપોર્ટેશનનો નિયમ કોઈ નવો નથી. અનેક વર્ષોથી આવું થાય છે. ૨૦૧૨થી જ આ નિયમ લાગૂ છે. દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતાની તપાસ થાય છે. તેમણે ૨૦૦૯થી અત્યાર સુધીના આંકડા પણ ગણાવ્યા અને કહ્યું કે દર વર્ષે ગેરકાયદે અપ્રવાસીઓને પાછા મોકલવામાં આવે છે. અમેરિકા ડિપોર્ટેશનનું કામ વિભાગ હેઠળ કરે છે. આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ૨૦૧૨થી જ પ્રભાવી છે. લીગલ મોબિલિટીને પ્રોત્સાહન આપવું અને ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકોને રોકવા એ અમારી સામૂહિક જવાબદારી છે.

    Post Views: 517
    ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા?
    Previous Articleરાંદેરની સૌથી જૂની સંસ્થાના સેક્રેટરીએ કૌભાંડ આચર્યું?
    Next Article ટ્રમ્પ અને મોદી ખૂબ સારા મિત્રો છે તો પછી પીએમ મોદીએ આવું કેમ થવા દીધું

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.