Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દિલ્હીમાં ૨૭ વર્ષના વનવાસનો અંત

    દિલ્હીમાં ૨૭ વર્ષના વનવાસનો અંત

    City Today DailyBy City Today DailyFebruary 8, 2025

    નવી દિલ્હી, તા. ૮
    વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. તે જ સમયે, પ્રામાણિકતા અને સ્વચ્છ રાજકારણના પ્રતિનિધિ હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
    એક તરફ આપની આ હારથી લોકોનો આંદોલનમાંથી ઉભરી આવેલી પાર્ટી પ્રત્યેનો મોહભંગ સાબિત થયો છે, તો બીજી તરફ તેણે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમની ગેરંટીની પુષ્ટિ કરી છે.દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જાેવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સૌથી વીવીઆઈપી સીટ નવી દિલ્હી પર પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ હરાવ્યા જ્યારે જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં ૧૯૯૩ બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે.
    અરવિંદ કેજરીવાલ ૨૦૧૩થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીની ૫૫ બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપે ૩૬ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે આપએ ૧૯ બેઠકો પર જીત હાંસલ કરી છે. હજી ૧૫ બેઠકોના અંતિમ પરિણામ આવવાના બાકી છે. જેમાં આપ ચારમાં અને ભાજપ ૧૧માં લીડ કરી રહ્યું છે.
    ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને તેમના કેબિનેટ સાથી સત્યેન્દ્ર જૈન સહિત આપના અગ્રણી નેતાઓને ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આપના સ્પષ્ટવક્તા નેતા સંજય સિંહ પણ જેલના સળિયા પાછળ ગયા. પ્રાથમિક પુરાવા મજબૂત હોવાથી, કોર્ટે આ આરોપીઓને ઘણી વખત જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેઓ પોતાને કટ્ટર પ્રમાણિક ગણાવતા રહ્યા. આનાથી જનતાનો વિશ્વાસ તૂટી ગયો.
    અરવિંદ કેજરીવાલ પહેલી વાર સત્તામાં આવ્યા પછી મોટા કામ કરવાના દાવા કરી રહ્યા છે, પરંતુ તેમની સરકારનું કામ જમીની સ્તરે દેખાતું નથી. આના ઘણા ઉદાહરણો છે, જેમ કે દરેક ચૂંટણીમાં તેઓ યમુના નદીની સફાઈ વિશે કહેતા હતા કે આ વખતે તેઓ બધાને યમુનામાં ડૂબકી લગાવશે, પરંતુ તેઓ ૧૦ વર્ષમાં કોઈ કામ કરી શક્યા નથી. દિલ્હીને પેરિસ બનાવવાના સપના દેખાડનાર આમ આદમી પાર્ટીએ રાજધાનીને બરબાદ કરી દીધી છે.
    તૂટેલા રસ્તાઓ, નબળી સ્વચ્છતા વ્યવસ્થા, દિલ્હીમાં ગંદા પાણીનો પુરવઠો, તમામ વિકાસ કાર્યોમાં સ્થગિતતા અને તેના ઉપર ભ્રષ્ટાચારને કારણે લોકોનો આપપ્રત્યેનો આકર્ષણ ઓછો થઈ ગયો છે.
    દિલ્હીમાં વિવિધ સ્થળોએ દારૂની દુકાનો ખોલનાર પાર્ટીના મોહલ્લા ક્લિનિકને પણ બરબાદ કરી નાખ્યું. મોહલ્લા ક્લિનિકમાં પરીક્ષણ અને સારવારના નામે લૂંટફાટના આરોપો અને થોડા સમય પછી તેની બગડતી હાલતને કારણે જનતાનો કેજરીવાલ પરથી વિશ્વાસ ઉઠી ગયો.

    Post Views: 391
    દિલ્હીમાં ૨૭ વર્ષના વનવાસનો અંત
    Previous Articleદિલ્હીનો વિજય, ઘમંડી લોકોનો અંત : પાટીલ
    Next Article ‘આપ’દા દિલ્હી ખાલી કરો, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાર્યા, આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.