Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૨૩ કરોડની દાણચોરી કેસમાં દુબઈના રિઝવાનને કોફેપોસામાં હાઈકોર્ટમાંથી રાહત મળી

    ૨૩ કરોડની દાણચોરી કેસમાં દુબઈના રિઝવાનને કોફેપોસામાં હાઈકોર્ટમાંથી રાહત મળી

    City Today DailyBy City Today DailyAugust 26, 2025
    • કોફેપોસા અટકાયતી પગલાં સામે હાઈકોર્ટમાં દાદ મગાઈ હતી : હાઈકોર્ટમાં અટકાયત સામે વચગાળાનો હુકમ

    (સિટી ટુડે) સુરત,તા.૨૬
    રૂ.૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા દુબઈના રીઝવાન લિંબાડા વિરૂદ્ધ પસાર થયેલા કોફેપોસા એક્ટ અન્વયે હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી હતી. કોફેપોસા એક્ટ અન્વયે ડીઆરઆઈ આરોપી લિંબાડાની એક મહિના માટે અટકાયત નહી કરી શકે તે સંદર્ભે હાઈકોર્ટે વચગાળાનો હુકમ ફરમાવ્યો હોવાનું બચાવ પક્ષના વકીલ ઝફર બેલાવાલાએ જણાવ્યું હતું. જેથી આગામી દિવસોમાં આરોપી લિંબાડા આગોતરા જામીનની શરતોને આધીન દુબઈથી સુરત આવી ડીઆરઆઈ સમક્ષ હાજર રહેશે.
    આ કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩ના જુલાઈ માસમાં ડીઆરઆઈએ સુરત એરપોર્ટ ઉપરથી ૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીનો કેસ પકડ્યો હતો. જેમાં ભરૂચના રીઝવાન લિંબાડા(હાલ રહે.દુબઈ)ની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં રીઝવાન લિંબાડા મુખ્ય લાભાર્થી, ફાઈનાન્સર અને સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું ડીઆરઆઈની તપાસમાં ખુલ્યું હતું. દરમિયાન આ દાણચોરીના કેસ અંતર્ગત ભારત સરકારના સંયુક્ત સચિવે કોફેપોસાની કલમ ૩(૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આરોપી લિંબાડાને માલની દાણચોરી કરતા અટકાવવા તેને અટકાયતમાં લેવાનો આદેશ પસાર કર્યો હતો.આ અટકાયતનો આદેશ આરોપી લિંબાડાની પત્નીના વોટ્સએપ દ્વારા બજાવવામાં આવ્યો હતો.
    દરમિયાન આરોપી લિંબાડાએ સ્પેશ્યલ સિવિલ અરજી કરી કોફેપોસા હેઠળ અટકાયતમાં લેવાના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જાેકે, જે-તે સમયે લિંબાડા તરફથી આ સ્પેશ્યલ સિવિલ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી. બાદમાં આ દાણચોરીના કેસમાં આરોપી લિંબાડાએ સુરતના સિનિયર વકીલ કલ્પેશ દેસાઈ અને ઝફર બેલાવાલા મારફતે સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા ગત જુન માસમાં શરતો લાદીને આગોતરા જામીન મંજુર કરવામાં આવી હતી. બાદમાં કોફેપોસા હેઠળ અટકાયતમાં લેવાના આદેશને ફરીથી હાઈકોર્ટમાં પડકારી વચગાળાનો સ્ટે માગવા રજૂઆત કરી હતી. બચાવ પક્ષના વરિષ્ઠ વકીલ દેવેન પરીખે રજૂઆત કરી હતી કે, ફોજદારી કાર્યવાહી અને નિવારક અટકાયનો આદેશ સંગઠિત દાણચોરી પ્રવૃત્તિઓના સમાન આરોપ પર છે. સેશન્સ કોર્ટે આપેલ આગોતરા જામીનની શરતો મુજબ ડીઆરઆઈ સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. જેથી સેશન્સ કોર્ટના આદેશનું પાલન કરવા માટે અટકાયતના આદેશપર વચગાળાનો સ્ટે આપવા માગ કરી હતી. બંને પક્ષની દલીલો ધ્યાને લીધા બાદ કોર્ટે અટકાયતના આદેશ પર એક મહિના માટે રોક લગાવી છે.

    Post Views: 455
    ૨૩ કરોડની દાણચોરી કેસમાં દુબઈના રિઝવાનને કોફેપોસામાં હાઈકોર્ટમાંથી રાહત મળી
    Previous Articleરાંદેર પોલીસ સ્ટેશનમાં યુવાન સહિત ઘરના તમામ સભ્યો વિરુદ્ધમાં નોંધાયેલ બળાત્કાર વિથ એટ્રોસિટીના ગુનામાં મુખ્ય આરોપી સહિત તમામ આરોપીઓના જામીન ઉપર છુટકારો
    Next Article આગામી દિવસોમાં કોંગ્રેસ કાર્યકરો ઘરે ઘરે જઈ ભૂતિયા મતદારો શોધી કઢાશે

    Related Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    July 29, 2026

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    July 27, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.