Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાડુઆતને મોટી રાહત! હવે વધારે સિક્યોરિટી ડિપોઝિટ નહીં લઈ શકે મકાન માલિક

    ભાડુઆતને મોટી રાહત! હવે વધારે સિક્યોરિટી ડિપોઝિટ નહીં લઈ શકે મકાન માલિક

    City Today DailyBy City Today DailyDecember 5, 2025

    સિક્યોરિટી ડિપોઝિટ મકાનમાલિક પોતાની મરજી મુજબ વસૂલી શકશે નહીં, સરકારે આ માટે નિયમો નક્કી કર્યા
    નવી દિલ્હી, તા.૫
    દેશમાં ઘણા લોકો એવા છે, જેમની પાસે પોતાનું મકાન હોતું નથી. તેથી તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. તો ઘણા લોકો એવા છે, જેઓ કામ કે અન્ય કારણોસર બીજા શહેરમાં રહે છે. ત્યાં તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. પરંતુ ભાડે રહેનારાઓ માટે ઘણી એવી વસ્તુઓ છે, જે તેમના માટે હંમેશા મુશ્કેલીનું કારણ બનતી જાેવા મળે છે.
    આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મકાનમાલિક પોતાની મરજી મુજબ સિક્યોરિટી ડિપોઝિટ અને ભાડું નક્કી કરી દે છે. ક્યાંક ૫-૬ મહિનાની સિક્યોરિટી લેવામાં આવે છે, તો ક્યાંક અચાનક ભાડું વધારી દેવામાં આવે છે.
    પરંતુ હવે આવું નહીં થાય, સિક્યોરિટી ડિપોઝિટ મકાનમાલિક પોતાની મરજી મુજબ વસૂલી શકશે નહીં. સરકારે આ માટે નિયમો નક્કી કર્યા છે.
    મકાનમાલિકો મનમાની નહીં કરી શકે – અત્યારે દેશમાં ઘણા મકાનમાલિક એવા છે, જે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે પોતાની મરજી મુજબ રકમ વસૂલે છે. આના પર કાબૂ મેળવવા માટે સરકાર Model Tenancy Act ને આખા દેશમાં લાગુ કરવા પર ભાર આપી રહી છે. નવા રેન્ટ નિયમો ૨૦૨૫માં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હવે સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા (લિમિટ) નક્કી થઈ જશે. મકાનનું ભાડું મરજી મુજબ વધારી શકાશે નહીં અને કોઈને કોઈ કારણ વગર મકાનમાંથી કાઢી શકાશે નહીં. આ ફેરફાર ભાડુઆતો માટે મોટી રાહત લઈને આવ્યો છે.
    નવા નિયમમાં શું છે? – નવા નિયમ મુજબ રેસિડેન્શિયલ પ્રોપર્ટી (મકાન) માટે મહત્તમ ૨ મહિનાનું ભાડું જ સિક્યોરિટી તરીકે રાખી શકાશે. તો દુકાન કે ઓફિસ જેવી કોમર્શિયલ સ્પેસ માટે આ મર્યાદા (લિમિટ) ૬ મહિનાની રાખવામાં આવી છે. આનાથી ભાડુઆત પર અચાનક મોટી રકમ જમા કરાવવાનું દબાણ ઘટશે અને ભાડે મકાન લેવું પહેલા કરતાં વધુ સરળ બનશે. ઘણી વખત લોકો સિક્યોરિટી રકમના કારણે જ મકાન ભાડે લેવાથી પાછળ હટી જતા હતા. Model Tenancy Act  પછી લેખિત ભાડા કરાર હવે ફરજિયાત બની ગયો છે. આ કરારમાં ભાડું, તેને વધારાની રીત, સમારકામની જવાબદારી, નોટિસ પીરિયડ અને ભાડાનો સમયગાળો જેવી બાબતો સ્પષ્ટ લખેલી હોવી જરૂરી છે. આ કરાર બન્યાના ૬૦ દિવસની અંદર રેન્ટ ઓથોરિટીમાં જમા કરાવવો પડશે.
    સાથે જ રાજ્યોએ એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ તૈયાર કરવાનું રહેશે, જ્યાં ભાડા કરાર ડિજિટલ સ્વરૂપે નોંધણી કરાવી શકાશે. આ રેકોર્ડ કાયદેસર માન્ય ગણાશે અને કોઈ વિવાદ થાય તો આ સૌથી મોટો પુરાવો બનશે. આનાથી ભાડુઆત અને મકાનમાલિક બંનેને પારદર્શિતા મળશે અને પછીથી કોઈ પક્ષ પોતાની મરજી મુજબ શરતો બદલી નહીં શકે.

    Post Views: 291
    @GUJARAT
    Previous Articleગુજરાતમાં SIR પ્રક્રિયા વચ્ચે ૫૩ લાખ નામ કપાઈ જશે
    Next Article विधायक इमरान खेड़ावाला और जीपीसीसी के वरिष्ठ नेता एवं पूर्व विधायक ग्यासुद्दीन शेख ने वक्फ बोर्ड और ट्रिब्यूनल के समक्ष मांग की है कि वक्फ संपत्तियों के पंजीकरण के लिए छह महीने की अवधि बढ़ाई जाए।

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.