- હાલ કોંગ્રેસ ચારો ખાને ચિત્ત થઈ ગયા જેવી સ્થિતિ
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કરશે ગુજરાતમાં પ્રચાર, સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ
પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કદિર પીરઝાદાની પસંદગી કરાઈ
અમદાવાદ, તા.૨૩
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સ્ટાર પચારકો ગુજરાતમાં વિવિધ સ્થળ એ સભા સંબોધી કોંગ્રેસ નો પ્રચાર કરશે. લોકસભાની ચુંટણી અને વિધાનસભાની પેટા ચુટંણી માટે કોગ્રેસના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદીને ચુટંણી પંચની મહોર લાગી છે. ગુજરાતના સ્ટાર પ્રચારોમાં નેશનલ કોંગ્રેસના નેતાઓ સામેલ છે. જેમાં એઆઈસીસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટાર પ્રચારક છે. તો પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ સ્ટાર પ્રચારક બન્યા છે. કેસી વેણુગોપાલ , મુકુલ વાસનીક અશોક ગહેલોતનો પણ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રણદિપ સુરજેવાલ, સચિન પાયલટ, ઉષા નાયડુ, રામકિશન ઓઝા સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત જગદીશ ઠાકોર, સિધ્ધાર્થ પટેલ, ભરત સોલંકી, દિપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, અમીબેન યાજ્ઞિકનો સમાવેશ કરાયો છે. ઉપરાંત શૈલેષ પરમાર,લલિત કગથરા, ઇન્દ્રવિજય સિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, કાદીર પીરજાદા, ગૌરવ પંડ્યા, પરેશ ધાનાણી, સુખરામ રાઠવા, મુમતાઝ પટેલ, લાલજી દેસાઈ, બીવી શ્રીનિવાસ, અલકા લાંબા, ઇમરાન પ્રતાપ ગઢી, વિમલ ચુડાસમા, દિનેશ ઠાકોર , ચંદ્રીકા ચુડાસમા, પુંજા ભાઇ વંશ ,ગ્યાસુદ્દીન શેખ, ઇન્દ્રનિલ રાજ્ય ગુરૂ, રધુ દેસાઇ અને નિશિથ વ્યાસ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવાયા છે.સુરતમાં એક અપક્ષને પણ બચાવી શક્યા નહિ તેવા લઘુમતી નેતા કદિર પીરઝાદાની પસંદગી થતા કોંગ્રેસમાં ગણગણાટ
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની બાદબાકી
કોંગ્રેસ હજુય પક્ષની ઘસાયેલી નોટો ને જ પ્રોત્સાહન આપી રહ્યું છે અને પગે કુહાડી મારી રહ્યું છે
અમદાવાદ, તા.૨૩
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સ્ટાર પચારકો ગુજરાતમાં વિવિધ સ્થળ એ સભા સંબોધી કોંગ્રેસ નો પ્રચાર કરશે. સ્ટાર પ્રચારકોની પસંદગી કરવામાં આવી છે તેમાંય રાજકીય લાગવગશાહી ચાલી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાના પ્રકરણમાં લઘુમતી નેતા કદિર પીરઝાદાએ કશુય ચાલ્યું નથી. એક અપક્ષ ઉમેદવાર સુદ્ધાં બચાવી શક્યા નથી. આ જ નેતાને કારણે કોંગ્રેસ ની આબરૂ ધૂળધાણી થઇ છે છતાંય પીરઝાદાને સ્ટાર પ્રચારક બનાવાયા છે. બીજી તરફ, વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના પ્રચારમાં લાગી પડ્યા છે તેમ છતાંય લઘુમતી ધારાસભ્ય તરીકે પણ તેમની નોંધ લેવાઈ નથી. આમ સુરત ની ઘટના પછીય કોંગ્રેસે શીખ લીધી નથી. કોંગ્રેસ હજુય પક્ષની ઘસાયેલી નોટો ને જ પ્રોત્સાહન આપી રહ્યું છે અને પગે કુહાડી મારી રહ્યું છે. જાેકે, કોંગ્રેસ હાઈ કમાન્ડે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો સ્ટાર પ્રચારક તરીકે સમાવેશ કર્યો છે.