અમદાવાદ, તા.૦૫
ગુજરાતમાં ૭ મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અત્યારે સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ છે રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ. ચૂંટણી સામાન્ય રીતે ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર થતી હોય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનને લઈ રાજકારણમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. બસ હવે તો પ્રચાર પડઘમ પણ શાંત પડવાના છે. પહેલા રૂપાલા ત્યારબાદ કિરીટ પટેલ જેવા ભાજપના નેતાઓ સતત ક્ષત્રિયો વિરુધ્ધ નિવેદનો આપતા રહે છે. ત્યારે આજે ભાજપે એક પત્ર લખી ક્ષત્રિયોને માફી આપવાની વાત કરી છે. પરંતુ આ મામલે અત્યારે સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
અમદાવાદ ખાતે આજે ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ કહ્યું કે, ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા રૂપાલાને માફ કરવા અને ભાજપના વિરુધ્ધ મતદાન ન કરવા વિનંતી કરવામાં આવી છે. જેને લઈ તેમણે કહ્યું કે રૂપાલા અને કિરીટ પટેલ જેવા નેતાઓએ ક્ષત્રિય સમાજ પર નિવેદનો આપ્યા ત્યારે આ ક્ષત્રિય નેતાઓ કયા હતા ? અને અમને સૌથી વધારે એ વાતનું દુઃખ છે કે આવા સમયે સમાજનો સાથ દેવ ભાજપના એક પણ ક્ષત્રિય નેતાઓ આગળ આવ્યા નથી. અને આજે ભાજપે જાહેર કરાયેલાં પત્રની ક્ષત્રિય સમાજ પર કોઈ અસર થવાની નથી.
સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહે વધુમાં કહ્યું કે, રૂપાલા ચૂંટણીના એક દિવસ પહેલા મીડિયા સામે આવીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરે તો પણ ક્ષત્રિય સમાજ મુંઝવણમાં ન રહે આપણે ૭ તારીખે બીજેપી વિરુદ્ધમાં મતદાન કરવાનું છે. આ સાથે જ તેમણે કહ્યું કે બીજેપીની ભગીની સંસ્થા દ્વારા એક પત્રિકા ફેરવવામાં આવી રહીં છે જેમાં રાષ્ટ્રહિત માટે બીજેપીને સમર્થનની વાત કરાઈ છે તેથી અમે જણાવી દઈએ કે, અમને અને જનતાને ખબર છે કે રાષ્ટ્રહિત અને દેશહિત શું છે. કારડીયા રાજપૂત સમાજે ભાજપને સમર્થન આપ્યું તેમ પણ ધાક ધમકી આપી હોય શકે છે.
આ મામલે કારડીયા રાજપૂત સમજે તો પહેલા જ અમને સમર્થન આપ્યું છે. તેથી અમને શંકા છે કે ઘણા આગેવાનોને ડરાવીને આવું જાહેર કરાવ્યું હોય શકે.ભાજપે એક વ્યક્તિને મહત્વ આપ્યું અને ગુજરાતમાં તેનું પરિણામ જાેઈ શકો છો. અમે માત્ર મત એજ શસ્ત્રનો ઉપયોગ કરીને ભાજપને હરવીશું. હવે આ આક્રોશ જાેયા બાદ લાગી રહ્યું છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપને જીતવું મુશ્કેલ બનવાનું છે.