તિબેટ,તા.૭
ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે (સાતમી જાન્યુઆરી) વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ૫૩ લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે ૬૨થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
અહેવાલો અનુસાર, ભૂકંપ સવારે લગભગ ૬.૫૨ કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણાં જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉત્તર ભારતના ઘણાં શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જાે કે, ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.