Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુભાષ ચંદ્ર બોઝને રાષ્ટ્ર પુત્ર ઘોષિત કરવાની માંગ

    સુભાષ ચંદ્ર બોઝને રાષ્ટ્ર પુત્ર ઘોષિત કરવાની માંગ

    City Today DailyBy City Today DailyJanuary 23, 2025

    ભુવનેશ્વર, તા. ૨૩
    આજે દેશ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૮મી જયંતિ ઉજવી રહ્યો છે. આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરી છે કે બોઝને સત્તાવાર રીતે રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવામં આવે. અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસને નેશનલ ડે ઘોષિત કરવાની માગ પણ કરવામાં આવી છે. કટકથી સામાજિક કાર્યકર્તા પિનાક પાની મોહંતીએ અરજી દાખલ કરી કહ્યું કે, દેશની આઝાદી માટે નેતાજીના બલિદાનના કારણે તેમને રાષ્ટ્રપુત્ર તરીકે માન્યતા આપવી જાેઈએ.
    અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસ ૨૧ ઓક્ટોબરને નેશનલ ડે ઘોષિત કરવાની પણ માગ કરી છે. આ માગ ઉપરાંત મોગંતીએ પણ માગ કરી છે કે, નેતાજીના રહસ્યમયી રીતે ગુમ થવાનું સત્ય જાહેર કરવામાં આવે.
    તેમણે નેતાજી ગુમ થવાને લઈને જસ્ટિસ મુખર્જી આયોગના રિપોર્ટને સાર્વજનિક કરવાની માગ કરી છે. આ અગાઉ મોહંતીએ આ મામલા પર પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રાલયને આવેદન આપ્યું હતું પણ ત્યાંથી કોઈ જવાબ ન મળતા તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. અહીં ઉલ્લેખનિય છે કે, આ મામલા પર ઓડિશા હાઈકોર્ટના કાર્યવાહક જસ્ટિસ અરિંદમ સિન્હા અને જસ્ટિસ મૃગાંક શેખર સાહૂની પીઠ સમક્ષ સુનાવણી થઈ. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરતા તેના પર જવાબ આપવા કહ્યુ છે. આ મામલે આગામી સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ થશે.

    Post Views: 343
    સુભાષ ચંદ્ર બોઝને રાષ્ટ્ર પુત્ર ઘોષિત કરવાની માંગ
    Previous Articleકરોડો ખેડૂતો અને કારીગરો માટે ખુશખબરી!ખેડૂતોના પાક, માલ અને કૌશલ્યને મળશે હવે GI ટેગની ઓળખ
    Next Article સૈફ અલી ખાનની મિલકતો જપ્ત થશે?

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.