Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ત્રણ વખત તલાક બોલી દેવાથી તલાક નથી થઈ જતા : સુપ્રીમ કોર્ટ

    ત્રણ વખત તલાક બોલી દેવાથી તલાક નથી થઈ જતા : સુપ્રીમ કોર્ટ

    City Today DailyBy City Today DailyJanuary 29, 2025

    નવી દિલ્હી, તા. ૨૯
    ટ્રિપલ તલાકનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાેરશોરથી ચર્ચા થઈ હતી. આ ચર્ચા એ અરજીને લઈને થઈ હતી જેમાં ટ્રિપલ તલાકને લઈને કેન્દ્ર સરકારના કાયદાને પડકારવામાં આવ્યો છે. આ ચર્ચા દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આ કાયદા અંગે સંપૂર્ણ વિગતો માંગી છે.
    આ ઉપરાંત ટ્રિપલ તલાકને લઈને દેશભરમાં કેટલી એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે જણાવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે ડેટાની તપાસ કરીશું. કોઈ પણ વકીલ ટ્રિપલ તલાકની પ્રથાની માન્યતાનો બચાવ કરી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું છે પરંતુ અમારી સામે સવાલ એ છે કે શું તેને ગુનાહિત બનાવી શકાય છે. ખાસ કરીને જ્યારે આ પ્રથા પોતે જ પ્રતિબંધિત છે.
    કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એક જ વારમાં ત્રણ વાર તલાક બોલીને કોઈ વ્યક્તિ કોઈની પાસેથી તલાક લઈ શકે નહીં. હવે આ મામલામાં આગામી સુનાવણી ૧૭ માર્ચ પછી થશે. કોર્ટે અરજદારોને ત્રણ અઠવાડિયાની અંદર લેખિત જવાબ આપવા માટે પણ કહ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ કહ્યું કે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ચાલુ રહે છે, તે સમાપ્ત થતો નથી, આ પ્રક્રિયા અપરાધ છે. શીખ, જૈન, બૌદ્ધ વગેરે હિંદુ લગ્ન એક્ટ હેઠળ આવે છે.
    અમારી પાસે વૈધાનિક કૃત્યો છે. મને નથી લાગતું કે કોઈ પણ વકીલ ટ્રિપલ તલાકની પ્રથાને સમર્થન આપશે પરંતુ આપણી સમક્ષ પ્રશ્ન એ છે કે શું તેને ફોજદારી બનાવી શકાય છે, જ્યારે આ પ્રથા પર પ્રતિબંધ છે અને એક જ વારમાં ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા મેળવી શકાતા નથી.
    કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આવી તમામ અરજીઓનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે ટ્રિપલ તલાક માત્ર મૌખિક જ નથી પણ સંબંધ તોડી નાખે છે, તમે કહો કે બીજી મિનિટથી તમે મારી પત્ની નથી. આ એક દુર્લભ બંધારણીય સુધારો છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ હાલમાં ટ્રિપલ તલાક પર કેન્દ્ર સરકારના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે, આ કાયદા દ્વારા સરકારે ટ્રિપલ તલાકને અપરાધના દાયરામાં લાવીને ત્રણ વર્ષની જેલની જાેગવાઈ કરી છે. વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા સજાને જીઝ્રમાં પડકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં જવાબ દાખલ કરીને આ કાયદાનો બચાવ કર્યો છે.
    સરકારનું કહેવું છે કે કોર્ટ દ્વારા ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરવા છતાં તેના પર પ્રતિબંધ લાદી શકાયો નથી. કોર્ટના ર્નિણય પછી પણ, દેશભરમાં સેંકડો ટ્રિપલ તલાકના મામલા સામે આવ્યા છે, આવી સ્થિતિમાં, જીઝ્રના ર્નિણયનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા માટે કાયદાની જરૂર હતી. તેણે તેને રોકવામાં મદદ કરી છે.

    Post Views: 439
    ત્રણ વખત તલાક બોલી દેવાથી તલાક નથી થઈ જતા : સુપ્રીમ કોર્ટ
    Previous Articleબોગસ સીમકાર્ડ દુબઇમાં વેચીં માલદાર બનેલા હવે ગુનેગાર બનશે!? હવાલા કૌભાંડીઓએ હવે ચમકના નામે નવા કયા કૌભાંડને અંજામ આપી રહ્યા છે?
    Next Article મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે : કોંગ્રેસ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.