Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ફરી રફ્તારનો કહેર સામે આવ્યો, નબીરાએ ૧૩૦ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્‌યો, બંને સગાભાઈઓની એકસાથે અર્થી ઊઠી

    ફરી રફ્તારનો કહેર સામે આવ્યો, નબીરાએ ૧૩૦ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્‌યો, બંને સગાભાઈઓની એકસાથે અર્થી ઊઠી

    City Today DailyBy City Today DailyFebruary 8, 2025

    સુરત,તા.૦૮
    સુરતના આઉટર રિંગરોડના વાલકબ્રિજ ઉપર ૭ ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી ટાટા હેક્સા કારના ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બન્ને મૃતક સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. આ ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં એક જ પરિવારના બાળક સહિતના ત્રણનો સમાવેશ થાય છે, જેમાં માતા-બાળક આઇસીયુમાં દાખલ છે.
    મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો. ગઈકાલે યુવતી સહિતના ત્રણ મિત્રો સાથે ૨૦ વર્ષીય કીર્તન ફાર્મહાઉસ ગયાં હતાં અને પરત ફરતા સમયે તેણે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકના પરિવારજનના જણાવ્યા મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવક સવાર હતાં. કારની સ્પીડ ૧૩૦-૧૫૦ હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું. હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. બંને મૃતક ભાઈઓની તેમના નિવાસસ્થાનેથી બપોરે એકસાથે અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. કારચાલક નબીરા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    મળતી મુજબ, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-૦૫-આરએફ-૦૩૧૭ના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.૪૨) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.૪૮)નાં સારવાર મળે એ પહેલાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
    અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલાં વાહનોનો પણ કડુહલો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો.
    અકસ્માત કરીને બે ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર નબીરા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૫, ૧૧૦, ૨૮૧, ૧૨૫ (એ), (બી) અને મોટર વહીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    Post Views: 769
    નબીરાએ ૧૩૦ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્‌યો ફરી રફ્તારનો કહેર સામે આવ્યો બંને સગાભાઈઓની એકસાથે અર્થી ઊઠી
    Previous Articleનઘરોળ તંત્રએ ત્રણ બાળકનો ભોગ લીધો, ‘પહેલા મોત, પછી કાર્યવાહી’ ક્યારે બંધ થશે?
    Next Article દિલ્હીનો વિજય, ઘમંડી લોકોનો અંત : પાટીલ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.