Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    City Today DailyBy City Today DailyMay 9, 2026

    આરોપી પત્નીના ચેકો ગાંધીનગર એફએસએલમાં મોકલાયા અને હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય તેણીની તરફેણમાં આવ્યો, જયારે પતિને માલ મળ્યાનું પુરવાર ન થયું : બંનેનો છુટકારો

     સિટી ટુડે  સુરત. તા…
    દસ વર્ષ જૂના 80 લાખ ઉપરાંતના ઉલ્લાસ નગરના વેપારી દંપતિ સામેના ચેક રીટર્ન કેસમાં પત્નીની સહી પુરવાર થઈ ન હતી. જયારે પતિને માલ મળ્યા નું પુરવાર થયું ન હતું. જેમાં પત્નીની સહીવાળા ચેકો ગાંધીનગર એફએસએલ માં હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય માટે પણ મોકલવામાં આવ્યા હતા અને તેમાં બચાવ પક્ષની રજૂઆતને સફળતા મળી હતી.

    સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના રીંગરોડ સ્થિત ટી.ટી. ટાવરમાં કાપડની દુકાન ધરાવતા અશોક મનસુખાની અને તેમની પત્ની પૂજા મનસુખાનીએ મહારાષ્ટ્ર ખાતેના ઉલ્લાસનગરના વેપારી દંપતી અનુક્રમે રોશની ભાટિયા અને મનોહર ભાટિયા સામે વર્ષ 2016 માં અત્રેની કોર્ટમાં ચેક રિટર્નના અલગ-અલગ છ કેસો કર્યા હતા. આ દંપતિ ઉપર 1 કરોડ ઉપરાંતનો કાપડનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાનો આરોપ હતો. જેમાં પત્ની રોશની સામે રૂપિયા ૭૦,૦૧,૩૮૦ અને પતિ મનોહર સામે રૂપિયા ૧૦,૪૮,૦૦૦ નું લેણું વસૂલવા કેસો કરવામાં આવ્યા હતા. દસ વર્ષથી વધુ ચાલેલા આ તમામ કેસોમાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલ કરી હતી. જેમાં તેમણે પત્નિના કેસમાં આરોપીની ચેક પરની સહી પડકારી હતી અને તમામ ચેકો હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જયાંથી તકરારી ચેકો ઉપર આરોપી રોશની ભાટિયાની સહી ન હોવાની વાતને સમર્થન મળ્યું હતું. જેથી કોર્ટે તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતાં.

    જયારે પતિ તરફે એડવોકેટ જોગડિયાએ બચાવ લીધો હતો કે, તેમને કથિત વ્યવહાર વાળો માલ મળ્યો જ નથી. ફરિયાદ પક્ષે જે બિલો રજૂ કર્યા છે તેમાં અલગ અલગ પેઢીઓના નામ છે અને તે પેઢીના માલિક આરોપી મનોહર ભાટિયા નથી તથા બિલોમાં કશે આરોપીની સહી નથી. જે દલીલ માન્ય રાખીને અત્રેની કોર્ટે તેમને પણ નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.

    Post Views: 157
    @suratadvocate @ suratcourt #suratcourt
    Previous Articleઅમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત
    Next Article ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.