Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » તમામ ધર્માેને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા VHP ની માંગ

    તમામ ધર્માેને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા VHP ની માંગ

    City Today DailyBy City Today DailyFebruary 10, 2025

    કુમારે કહ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં મંદિરો ઉપર છેલ્લા ૨૦૮ વર્ષાેથી સરકારોનો અંકુશ રહેવા પામ્યો છે
    મહાકુંભનગર, તા.૧૦
    વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારે તમામ ધર્માેને મળતા દાનને સ્પર્શતી તમામ બાબતો માટે એકસમાન કાયદો લાવવા રવિવારે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યાે હતો.
    વિશ્વ હિંદુ પરિષદની અહીં યોજાયેલી ત્રણ દિવસની બેઠકના સમાપન બાદ પત્રકારોને સંબોધતા કુમારે જુદા જુદા ધર્માેના દાન માટે હાલ પ્રવર્તતા કાયદા પ્રત્યે આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે મુસ્લિમો પોતાના અલ્લાહને જમીનનું દાન કરે છે ત્યારે તે જમીન વક્ફ બોર્ડની માલિકીની બની જાય છે, પરંતુ જ્યારે હિંદુ કોઇ જમીન મંદિરને દાનમાં આપી દે, ક્રિશ્ચિયન કોઇ જમીન ચર્ચને આપી દે અથવા શીખ કોઇ જમીન ગુરૂદ્વારાને આપી દે ત્યારે શું સમજવું?
    શા માટે ધાર્મિક દાન માટે અલગ અલગ કાયદા હોવા જાેઇએ? એમ કુમારે વક્ફ એક્ટ-૧૯૫૪નો સંદર્ભ ટાંકતા પ્રશ્ન કર્યાે હતો. તે સાથે તેમણે દાવો કર્યાે હતો કે જ્યારે કાયદો ઘડાયો ત્યારે મુસ્લિમો માટે અલગ કાયદો ઘડવા બદલ રાજ્યસભાના કોંગ્રેસના બે સાંસદોએ તત્કાલિન કાનૂન મંત્રીની દાનત પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. તે સમયે કાનૂન મંત્રીએ કહ્યું હતું કે તે તમામ ધર્માે માટે એકસમાન કાયદો લાવવાનું વિચારી રહ્યા છે.હવે આ પ્રકારના કાયદાનો અમલ શરૂ કરવા કેન્દ્ર સરકાર માટે સમય પાકી ગયો છે એમ કુમારે કહ્યું હતું. કાશી અને મથુરાના મંદિરો ઉપર પુનઃ કબ્જાે મેળવી લેવાના મુદ્દે પૂછાયેલાં પ્રશ્નના જવાબમાં આલોક કુમારે કહ્યું હતું કે અમે હિંદુ સમાજને ખાતરી આપી છે કે આ મંદિરો ઉપર પુનઃ કબ્જાે મેળવી લેવા તમાં બંધારણીય પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મિટિંગમાં સરકારના અંકુશમાંથી મંદિરોને મુક્ત કરાવવાના મુદ્દાની પણ ચર્ચા થઇ હતી.
    કુમારે કહ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં મંદિરો ઉપર છેલ્લા ૨૦૮ વર્ષાેથી સરકારોનો અંકુશ રહેવા પામ્યો છે, અને તેમાં કણ મંદિરની આવકમાંથી ૧૨ ટકા રકમ વહિવટી ખર્ચ પેટે સરકારી તિજાેરીમાં જમા કરાવવાનો કાયદો અમલમાં મૂકાયો છે.

    Post Views: 307
    @VHP
    Previous Articleદિલ્હી ………. હવે પંજાબ પણ હાથમાંથી જશે!કોંગ્રેસ
    Next Article મનપાને જગાડવા કેદારને જાન આપવી પડી!? ડ્રેનેજ અને ખુલ્લા ઢાંકણા સમારકામ કરવા સ્થાયી કમિટિના ચેરમેનનો આદેશ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.