Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મનપાને જગાડવા કેદારને જાન આપવી પડી!? ડ્રેનેજ અને ખુલ્લા ઢાંકણા સમારકામ કરવા સ્થાયી કમિટિના ચેરમેનનો આદેશ

    મનપાને જગાડવા કેદારને જાન આપવી પડી!? ડ્રેનેજ અને ખુલ્લા ઢાંકણા સમારકામ કરવા સ્થાયી કમિટિના ચેરમેનનો આદેશ

    City Today DailyBy City Today DailyFebruary 10, 2025

    સુરત,તા.૧૦
    શહેરના વરિયાવ વિસ્તારમાં બે વર્ષનો કેદાર ગટરની લાઈનનું ઢાંકણ તૂટેલું હોવાથી પડી ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ બાબતને લઈને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જાેકે હવે સ્થાયી સમિતિ આ બાબતને ગંભીરતાથી લેતા તમામ ઝોનમાં કામગીરી કરવા માટે સૂચના આપી દીધી છે.
    શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા અને તૂટી ગયેલા હોવાનો શાસકોએ સ્વીકાર કર્યો છે અને તાત્કાલીક સમારકામ કરવા તાકીદ કરી છે. શાસકો અને અધિકારીઓ જ્યાં સુધી કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ ન જાય ત્યાં સુધી જાણે કામ ન કરવાનું નક્કી કરી લીધું હોય તેવું સુરત શહેરમાં જાેવા મળી રહ્યું છે.
    ઘણી વખત સ્થાનિક લોકો પોતાના વિસ્તારમાં ગટરના ઢાંકણા થી લઈને ચેમ્બરોની ખરાબ સ્થિતિ અંગે ફરિયાદ કરતા હોય છે પરંતુ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી સ્થાનિક કોર્પોરેટરો પણ આ ખાડા કામ કરતા હોય છે તાજેતરમાં જે રીતે કેદારનું મોત થયું ત્યારબાદ હવે શાસકો પણ શહેરના તમામ ઝોનની અંદર કામગીરી કરવા માટે સૂચના આપી રહ્યા છે.
    સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ખુલ્લી ગટર અને ચેમ્બરોને કારણે કોઈપણ વ્યક્તિનો જ જઈ શકે છે. આવી ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તમામ ઝોનમાં ખુલ્લા તેમજ તૂટેલા હોય તેવા ચેમ્બરોને તાકીદના ધોરણે રીપેર કરી અથવા તો નવા બદલાવા અંગે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે સાત દિવસની અંદર તમામ ઝોનના રિપોર્ટ તૈયાર કરીને કામગીરી યોગ્ય રીતે કરી છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણું ખેલ ખેલ જાેવા મળતા હોય છે જેને કારણે ઘણી વખત રાહદારીઓ અને વાહન ચાલકો પણ અકસ્માતના ભોગ બને છે તો ઘણી વખત બાળકોના મોત પણ નીપજતા હોય છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે પગલાં લેવા શાસકો ર્નિણય લઇ રહ્યા છે.

    Post Views: 405
    @smc
    Previous Articleતમામ ધર્માેને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા VHP ની માંગ
    Next Article વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. જાેકે, આ મામલે સુરતની પાલ પોલીસે ૧૨ જેટલી ગાડીઓ જપ્ત કરી છે

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.