Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મનપાને જગાડવા કેદારને જાન આપવી પડી!? ડ્રેનેજ અને ખુલ્લા ઢાંકણા સમારકામ કરવા સ્થાયી કમિટિના ચેરમેનનો આદેશ

    મનપાને જગાડવા કેદારને જાન આપવી પડી!? ડ્રેનેજ અને ખુલ્લા ઢાંકણા સમારકામ કરવા સ્થાયી કમિટિના ચેરમેનનો આદેશ

    City Today DailyBy City Today DailyFebruary 10, 2025

    સુરત,તા.૧૦
    શહેરના વરિયાવ વિસ્તારમાં બે વર્ષનો કેદાર ગટરની લાઈનનું ઢાંકણ તૂટેલું હોવાથી પડી ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ બાબતને લઈને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જાેકે હવે સ્થાયી સમિતિ આ બાબતને ગંભીરતાથી લેતા તમામ ઝોનમાં કામગીરી કરવા માટે સૂચના આપી દીધી છે.
    શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા અને તૂટી ગયેલા હોવાનો શાસકોએ સ્વીકાર કર્યો છે અને તાત્કાલીક સમારકામ કરવા તાકીદ કરી છે. શાસકો અને અધિકારીઓ જ્યાં સુધી કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ ન જાય ત્યાં સુધી જાણે કામ ન કરવાનું નક્કી કરી લીધું હોય તેવું સુરત શહેરમાં જાેવા મળી રહ્યું છે.
    ઘણી વખત સ્થાનિક લોકો પોતાના વિસ્તારમાં ગટરના ઢાંકણા થી લઈને ચેમ્બરોની ખરાબ સ્થિતિ અંગે ફરિયાદ કરતા હોય છે પરંતુ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી સ્થાનિક કોર્પોરેટરો પણ આ ખાડા કામ કરતા હોય છે તાજેતરમાં જે રીતે કેદારનું મોત થયું ત્યારબાદ હવે શાસકો પણ શહેરના તમામ ઝોનની અંદર કામગીરી કરવા માટે સૂચના આપી રહ્યા છે.
    સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ખુલ્લી ગટર અને ચેમ્બરોને કારણે કોઈપણ વ્યક્તિનો જ જઈ શકે છે. આવી ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તમામ ઝોનમાં ખુલ્લા તેમજ તૂટેલા હોય તેવા ચેમ્બરોને તાકીદના ધોરણે રીપેર કરી અથવા તો નવા બદલાવા અંગે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે સાત દિવસની અંદર તમામ ઝોનના રિપોર્ટ તૈયાર કરીને કામગીરી યોગ્ય રીતે કરી છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણું ખેલ ખેલ જાેવા મળતા હોય છે જેને કારણે ઘણી વખત રાહદારીઓ અને વાહન ચાલકો પણ અકસ્માતના ભોગ બને છે તો ઘણી વખત બાળકોના મોત પણ નીપજતા હોય છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે પગલાં લેવા શાસકો ર્નિણય લઇ રહ્યા છે.

    Post Views: 423
    @smc
    Previous Articleતમામ ધર્માેને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા VHP ની માંગ
    Next Article વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. જાેકે, આ મામલે સુરતની પાલ પોલીસે ૧૨ જેટલી ગાડીઓ જપ્ત કરી છે

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.