Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » એસટી બસના ડ્રાઈવરે ૪ થી ૫ લોકોને કચડ્યા

    એસટી બસના ડ્રાઈવરે ૪ થી ૫ લોકોને કચડ્યા

    City Today DailyBy City Today DailyJuly 12, 2025

    સુરત, તા.૧૨
    સુરતના સહારા દરવાજા ગરનાળા નીચે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક એસટી બસે ૪ થી ૫ વાહનચાલકોને અડફેટે લેતા પાંચ લોકોને ઈજા થઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
    પ્રાથમિક માહિતી અનુસાર, સહારા દરવાજા ગરનાળા પાસેથી પસાર થઈ રહેલી એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. બસે રસ્તા પર જઈ રહેલા અનેક નાના વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માત થયો હતો. જાેકે, આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને કારણે સહારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના અલગટ ગામથી મુસાફરો લઈને એસટી બસ સુરત સ્ટેશન પહોંચી રહી હતી. સુરત સ્ટેશન ઉપર પહોંચે તે પહેલા જ શહેરા દરવાજા પર જ અકસ્માતની ઘટના બની હતી. સહારા દરવાજા ગરનાળા પાસે એસટી બસે બે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા એકને પગના ભાગે ફેક્ચર થયું હતું. સ્મીમેર હોસ્પિટલની નજીક જ ઘટના બનતા ઇજાગ્રસ્તને ગણતરીની મિનિટોમાં જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ટ્રાફિક વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ એસટી બસનો ચાલક બે મોટર સાયકલને અડફેટે લીધા બાદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં ડ્રાઈવરે બસની બ્રેક એકાએક ફેલ થઈ હોવાની વાત કરી હતી. જાેકે હવે ઘટના બાદ ખરેખર બસની બ્રેક ફેલ હતી કે અન્ય કોઈ કારણ હતું, તે અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર તપાસ કરશે. બાદમાં આ સહિતની ટેકનીકલ બાબતોની માહિતી એકત્રિત કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

    Post Views: 500
    એસટી બસના ડ્રાઈવરે ૪ થી ૫ લોકોને કચડ્યા
    Previous Articleઈરાને કતારમાં અમેરિકાની વાયુ સેનાનુું કોમ્યુનિકેશન સેન્ટર નષ્ટ કર્યું
    Next Article સ્મશાનગૃહમાં પરિણીત મહિલા સાથે ભાજપ નેતા રાહુલ રંગરેલિયા મનાવતા પકડાઈ ગયા

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.