Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેરમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત

    સુરત શહેરમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત

    City Today DailyBy City Today DailyNovember 24, 2025

    સુરત, તા.૨૪
    રાજ્યમાં દિવસે ને દિવસે બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓનાં મોતની ઘટના સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી અને બીએલઓ તરીકે વધારાની જવાબદારી સંભાળતી ૨૬ વર્ષીય ડિન્કલ શીંગોડાવાલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. દીકરીના મોતને પગલે હોસ્પિટલ પરિસર પરિવારના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બીએલઓ તરીકે ફરજ બજાવતી મહિલાની અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત જામનગરમાં ૭૯-વિધાનસભા વિસ્તારમાં સત્યમ કોલોની, આહીર સમાજ પાસે મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદી બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા.
    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં ૨૬ વર્ષીય ડિન્કલ મહેશભાઈ શીંગોડાવાલા પરિવાર સાથે રહેતી હતી. તે હાલ સુરત મનપાના વરાછા ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. ચૂંટણીપંચ દ્વારા તેને સરની કામગીરી માટે બીએલઓ તરીકે વધારાની જવાબદારી સોંપી હતી, જાેકે આજે ડિન્કલ પોતાના ઘરે બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ અંગે પરિવારને જાણ થતાં જ ડિન્કલને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવાન મહિલા અધિકારીના અચાનક મોતને કારણે અનેક સવાલો ઊભા થયા છે. રાજ્યમાં અગાઉ પણ બીએલઓની કામગીરીના વધતા ભારણને કારણે શિક્ષકોના આત્મહત્યા અને હૃદયરોગના કારણે મોતના કિસ્સા સામે આવી ચૂક્યા છે.
    પોલીસ અને વહીવટી તંત્ર માટે આ મોત તપાસનો વિષય બન્યો છે કે શું બીએલઓ તરીકેની વધારાની અને અત્યંત દબાણવાળી કામગીરીના માનસિક-શારીરિક ભારણને કારણે તેમનું મોત થયું? શું બાથરૂમમાં કોઈ અકસ્માત, લપસી જવું કે અન્ય કોઈ તબીબી કારણ (જેમ કે હાર્ટ-એટેક કે બ્રેઇન હેમરેજ) જવાબદાર છે? પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
    ડિન્કલ શીંગોડાવાલાના અકાળે મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઉપરાંત બીએલઓ તરીકેની કામગીરી કરતા અન્ય કર્મચારીઓ અને મહાનગરપાલિકાના સ્ટાફમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. રાજ્યમાં બીએલઓના સતત મોતના બનાવોથી કર્મચારીઓમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે.

    Post Views: 214
    સુરત શહેરમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત
    Previous Articleવિજાપુરની શાળામાં ભણતી બાળકી સાથે શારીરિક અડપલાં કરાતા આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવા પીડિત દીકરી ને ન્યાય અપાવવા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની મુખ્યમંત્રીને રજૂઆત
    Next Article કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી

    Related Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    July 29, 2026

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    July 27, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.