Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » SIR કરતાં-કરતાં ૨૩ BLOના મોત, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી

    SIR કરતાં-કરતાં ૨૩ BLOના મોત, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી

    City Today DailyBy City Today DailyNovember 26, 2025

    નવી દિલ્હી,તા.૨૬
    SIR કેસમાં ૨૩ બીએલઓના મોતના આરોપો પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે આ સંદર્ભમાં માહિતી પૂરી પાડી હતી, જેના પગલે કોર્ટે ચૂંટણી પંચ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણી પંચોને ૧ ડિસેમ્બર સુધીમાં તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ‘સર’ કેસોની આગામી સુનાવણી ૯ ડિસેમ્બરે થશે. આ મામલો મતદારોના રક્ષણ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો છે.સંબંધિત રાજ્ય ચૂંટણી પંચોને ૧ ડિસેમ્બર સુધીમાં તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

    વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ બેન્ચને માહિતી આપી હતી કે, અરજી મદ્રાસ હાઇકોર્ટમાં પહેલાથી જ દાખલ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી અને કમિશન અને રાજ્ય કમિશન નજીકથી સંકલન કરી રહ્યા છે. ૯૯ ટકા મતદારોને તેમના ફોર્મ મળ્યા છે, જેમાંથી ૫૦ ટકાથી વધુ ડિજિટલ સ્વરૂપમાં છે. સીજેઆઇ એ કેરળ ‘સર’ મામલે અલગ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

    સુપ્રીમ કોર્ટમાં અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દાવો કર્યો હતો કે, ‘સર’ના દબાણ હેઠળ ૨૩ બીએલઓ મૃત્યુ પામ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. કોર્ટે આ ગંભીર બાબતે ચૂંટણી પંચ પાસેથી સ્પષ્ટતા માંગી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, તે કેરળ રાજ્ય ચૂંટણી પંચને પણ તેનો જવાબ દાખલ કરવાની મંજૂરી આપશે.

    બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ‘સર’ સામે વાંધો વ્યક્ત કરતા ચૂંટણી પંચને બે પત્રો લખી ચૂક્યા છે. તેમણે ‘સર’ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાની પણ માંગ કરી છે. કાનૂની સલાહ લીધા પછી કમિશન હવે મમતાના પત્રોનો જવાબ આપશે. આ દરમિયાન, ચૂંટણી પંચે ટીએમસી નેતાઓને બેઠક માટે બોલાવ્યા છે. શાસક પક્ષે કમિશન સાથે મુલાકાતની વિનંતી કરી હતી.જીૈંઇ પ્રક્રિયા હાલમાં ૧૨ રાજ્યોમાં ચાલી રહી છે, પરંતુ બંગાળમાં સૌથી વધુ હોબાળો જાેવા મળી રહ્યો છે.

    શાસક પક્ષ, તૃણમૂલ કોંગ્રેસે સતત તેનો વિરોધ કર્યો છે. પક્ષનો આરોપ છે કે, આ પ્રક્રિયા તમામ બીએલઓપર ભારે દબાણ લાવે છે, જેના પરિણામે ૩૦ થી વધુ બીએલઓના મોત થયા છે. મમતા દીદીનો આરોપ છે કે, મૃત્યુ પામેલા કેટલાક લોકોએ દબાણને કારણે આત્મહત્યા કરી હતી.

    Post Views: 224
    SIR કરતાં-કરતાં ૨૩ BLOના મોત સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી
    Previous Articleગુજરાત માટે ઐતિહાસિક દિવસ, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું યજમાન બન્યું અમદાવાદ
    Next Article અધિકારીઓને કોનો ડર સતાવે છે?મનપાની કતારગામ ઝોન ઓફિસની બહાર ૧૦ થી વધુ અધિકારીઓએ ‘મોબાઇલ પ્રતિબંધ’ની નોટિસ લગાવતા લોકોમાં રોષ

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025

    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    December 18, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.