આજ રોજ તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા દ્વારા બોલાવેલ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી કોગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે કોંગ્રેસ પક્ષના સીનીયર વરિષ્ઠ આગેવાન બાલુ પટેલ, જીપીસીસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાન જુનેદ શેખ રજૂઆત કરવા ઉપસ્થિત રહ્યા હતા.
જણાવેલ મુદ્દાઓ પરત્વે આજે રજૂઆત કરવામાં આવી હતી.
1. નવી મતદારયાદીમાં સમાવિષ્ટ મતદારોના નામ ઘર નંબર દીઠ કુટુંબના અન્ય સભ્યો સાથે એકજ બુથ નંબરમાં ક્રમાનુસાર સમાવિષ્ટ કરવામાં આવે.
2. ઓનલાઈન ફોર્મમાં નં. ૬ ભરતા સમયે નામ લખતાં સ્પેસ ઓછી પડે છે. અને પુરું નામ લખી શકાતું નથી પરિણામે ફોર્મનો અસ્વીકાર થઈ જાય છે. માટે નામ લખવા માટેની સ્પેસ વધારવામાં આવે.
3. મતદાર દ્વારા સરનામામાં ફેરફાર કરવા માટે ફોર્મ નં. ૮ ભરવું પડે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સરનામામાં સુધારો તો થઈ જાય છે પરંતુ બુથ અને ક્રમાંકમાં ફેરફાર થતો નથી માટે ફોર્મ નં. ૮ ભરનારા મતદાતાનું નામ જે તે સ્થળે નોંધાયેલા બુથ અને ક્રમાંકમાં દર્શાવવામાં આવે.
4. નવા મતદારો દ્વારા ફોર્મ નં.૬ ભરતા સમયે આધારકાર્ડ અને એપીક કાર્ડના ઘણા કિસ્સામાં સ્પેલીંગમાં વિસંગતતા આવતી હોવાથી ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવતા નથી.
5. મતદાર ફોર્મ નં. ૬ મેન્યુઅલી જાતે ભરવામાં આવેલ ફોર્મમાં જન્મના દાખલા અથવા સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટના પુરાવાને માન્ય રાખી ભરેલ ફોર્મ મંજુર કરવામાં આવે છે.
6. પરંતુ ઓનલાઈન ફોર્મ ભરનાર મતદાતાને જન્મના દાખલા તથા સ્કૂલ લીવીગ સર્ટિફિકેટના આધારે મંજુર કરવામાં આવતા નથી માટે વિસંગતતા દૂર કરી ઓનલાઈન ભરાતા ફોર્મમાં પણ જન્મના દાખલા અથવા સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટના પુરાવાને માન્ય રાખી ફોર્મ મંજુર કરવામાં આવે.









