ભેસ્તાનના દગડુગવ્હાળેને ચેક રિટર્ન કેસમાં એક વષની સજા
સુરતઃ ભેસ્તાન વૃંદાવન સોસાયટીમાં રહેતા દગડૂ બંસી ગવ્હાળેએ લિંબાયત પ્રતાપનગરની મિલકતના સોદામાં વેચાણ અવેજ પેટે સતીશ તુકારામ વૈધને કુલ ૩ લાખના ચેકો આપ્યા હતા. જે ચેકો રિટર્ન થતાં સતીષ વૈધએ વકીલ રહીમ શેખ મારફતે દગડૂ ગવ્હાળે વિરૂદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. કોર્ટે દગડુ ગવ્હાળેને કસુરવાર ઠેરવી ૧ વર્ષની સજા અને ૩ લાખ વળતર તરીકે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.
- કાપડ લીધા બાદ ચૂકવણું ન કરનારને કોર્ટની લપડાક, રૂપિયા ભરવા આદેશ
સુરતઃ વેપારી પાસે માલ લઈ પેમેન્ટ નહી કરવાના 3 જુદા જુદા કેસમાં વેપારીઓને કોર્ટે 6 લાખ ૧૧ ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. ત્રણેય કેસોમાં વાદી તરફે એડવોકેટ રહીમ શેખ દ્વારા દલીલો કરી હતી. કોમર્શિયલ સ્યુટના કેસમાં વેપારીની દલીલ હતી કે 3 જુદા જુદા વ્યવહારમાં 6 લાખનો માલ અપાયો હતો, નિયત સમયે પેમેન્ટ કરાયું નહતું. લીગલ નોટિસનો પણ માલ ખરીદનારા વેપારીઓ દ્વારા જવાબ આપવામા આવ્યો નહતો. આથી સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો અને કોર્ટે રૂપિયા ચૂકવી આપવાનો આદેશ કરાયો હતો.










