Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વકફના ઈમામો પગારની માંગણી સાથે કેજરીવાલના નિવાસે પહોંચ્યા

    વકફના ઈમામો પગારની માંગણી સાથે કેજરીવાલના નિવાસે પહોંચ્યા

    City Today DailyBy City Today DailyDecember 26, 2024

    નવી દિલ્હી, તા. ૨૬
    દિલ્હી ચૂંટણી પહેલા રાજધાનીના ઈમામોએ આજે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીના ઈમામોનું કહેવું છે કે તેમને છેલ્લા ૧૭ મહિનાથી ૧૬-૧૮ હજાર રૂપિયાનો માસિક પગાર જે આપવામાં આવે છે તે મળ્યો નથી. જેનાં કારણે આજે ઈમામોએ ફિરોઝશાહ રોડ પર કેજરીવાલને મળવાનો પ્રયાસ કર્યો હતો. ઇમામોએ કહ્યું,કે ‘આપણે રાજકારણમાં ન ખેંચાય. અમે અહીં એટલા માટે આવ્યા છીએ કારણ કે દિલ્હીના ઈમામો અને મુઅઝીનને છેલ્લા ૧૭ મહિનાથી પગાર નથી મળ્યો. દિલ્હીના ઈમામોનું કહેવું છે કે તેમને વક્ફ બોર્ડ તરફથી પગાર મળ્યો નથી.
    દિલ્હીની અલગ-અલગ મસ્જિદોના મૌલાનાઓ અને મુઅઝીન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ૫ ફિરોઝશાહ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા છે. જાેકે, તેઓ અરવિંદ કેજરીવાલને મળી શક્યા ન હતા.
    દિલ્હી વક્ફ બોર્ડ સાથે સંકળાયેલા કુલ ૨૫૦ ઈમામ અને મુઈઝીન પગાર અંગે અરવિંદ કેજરીવાલને મળવા માંગતા હતા, જે ૧૭ મહિનાથી મળ્યા નથી. ૨૫૦માંથી ૧૮૫ ઈમામ છે. આ તમામ મૌલવીઓની સાથે ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના સાજીદ રશીદી પણ હાજર હતા.
    આ મૌલાનાઓનો આરોપ છે કે તેમને છેલ્લા ૧૭ મહિનાથી તેમનો માસિક પગાર નથી મળી રહ્યો. આ પગાર વકફ બોર્ડ દ્વારા આપવામાં આવતો હતો, પરંતુ હવે વકફ બોર્ડ દ્વારા પગાર આપવામાં આવતો નથી. જેના કારણે છેલ્લા ૧૭ મહિનાથી લોકોને સતત જગ્યાએથી ધક્કા ખાવા પડી રહ્યા છે.
    મૌલાનાઓનો આરોપ છે કે પગાર ન મળવાને કારણે તેમને લોન લઈને જીવવું પડે છે અને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. અરવિંદ કેજરીવાલને મળ્યા પહેલા મૌલાના સાજીદ રશીદીએ કહ્યું કે, “અમે ૧૭ મહિનાથી પેન્ડિંગ અમારા પગારની છૂટની માંગ સાથે અહીં આવ્યા છીએ. લગભગ ૨૫૦ ઇમામ આના કારણે પરેશાન છે, તેમનો પગાર માત્ર ૧૮૦૦૦ રૂપિયા પ્રતિ માસ છે. છેલ્લા ૧૭ મહિનાથી ” અમારો પગાર બાકી છે.” મૌલાના સાજિદ રશીદીનું કહેવું છે કે દિલ્હી સરકાર તેના કામદારોને દર મહિને ૨૧ હજાર રૂપિયા પગાર આપે છે. પરંતુ, અમે ઈમામોને માત્ર ૧૮ હજાર રૂપિયા આપવામાં આવે છે. પરંતુ, તે પણ ૧૭ મહિનાથી મળ્યા નથી. આ માંગ સાથે તેઓ અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા છે.

    Post Views: 489
    વકફના ઈમામો પગારની માંગણી સાથે કેજરીવાલના નિવાસે પહોંચ્યા
    Previous Article૧૧ લોકોની હિચકારી હત્યા કરનાર હેવાન સકંજામાં, હત્યા બાદ મૃતદેહ સાથે આરોપી શારીરિક સંબંધ બાંધતો હતા
    Next Article ૨૪ કલાકમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ I.N.D.I.A.થી બહાર

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.