Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વિદ્યાર્થિનીના આપઘાતને લઇ તપાસમાં ચોંકાવનારો ખુલાસો, આદર્શ પબ્લિક સ્કૂલના આચાર્યએ ફેલાવ્યું જુઠ્ઠાણું!

    વિદ્યાર્થિનીના આપઘાતને લઇ તપાસમાં ચોંકાવનારો ખુલાસો, આદર્શ પબ્લિક સ્કૂલના આચાર્યએ ફેલાવ્યું જુઠ્ઠાણું!

    City Today DailyBy City Today DailyJanuary 24, 2025

    સુરત, તા.૨૪
    સુરત શહેરમાંથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી ભાવના ખટીકને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવતાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાના પરિવાજનો આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગના વર્ગ ૨ના ૫ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા બે દિવસની તપાસ બાદ રિપોર્ટ સબમીટ કર્યો છે, જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થિનીએ ફીને લઇને નહી પરંતુ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યું છે. આ રિપોર્ટને જાેતાં લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે પણ તપાસની ખાતરી આપી હતી પણ તેમણે પણ હકિકત સામે બહાર લાવવાના પ્રયાસ કર્યા હોય તેવું લાગતું નથી. કદાચ એટલે જ ડીડીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપી ટીમ બનાવી દીધી કે જેથી સમગ્ર મામલા પર ઠંડુ પાણી રેડી શકાય. આત્મહત્યાની ઘટના સામે આવી ત્યારે શાળાના આચાર્યએ નિવેદન આપ્યું હતું કે, કે ‘દીકરીને ૨-૫ મિનિટ જ બેસાડી હતી’, પરંતુ ૧૦ તારીખના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થિનીએ ફી ન ભરી હોવાથી તેને પરીક્ષામાં ન બેસવા દીધી અને એકથી દોઢ કલાક સુધી કોમ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી.
    સુરતમાં વિદ્યાર્થિની આપઘાત મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, મારી પાસે પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યો છે. જેમાં શાળાની પણ ઘણી બેદરકારીઓ સામે આવી છે. શાળા પાસે પોતાનું ગ્રાઉન્ડ નથી, આ ઉપરાંત અન્ય ક્ષતિઓ પણ ધ્યાને આવી છે. ફી બાબતના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આ બાબતે શાળાને ગંભીર નોટિસ આપવામાં આવી છે. શાળાની આ ગંભીર ભૂલ બદલ માન્યતા કેમ રદ ન કરાય તે વાતનો ઉલ્લેખ નોટિસમાં કરાયો છે. ૮૧ મિનિટ સુધી વિદ્યાર્થીનીને ફી બાબતે ટોર્ચરીગ કરાયું હતું.

    Post Views: 408
    આદર્શ પબ્લિક સ્કૂલના આચાર્યએ ફેલાવ્યું જુઠ્ઠાણું! વિદ્યાર્થિનીના આપઘાતને લઇ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
    Previous Articleબેકારી, મોંઘવારીથી સામાન્ય લોકોનું જીવન દુષ્કર બન્યું છે
    Next Article અમૂલે ઘટાડ્યા દૂધના ભાવ, અમુલ દૂધના ૧ લીટરના પાઉચમાં એક રૂપિયાનો ઘટાડો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.