Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૭ કલાક પછી સ્વીકાર્યું,મહાકુંભ ભાગદોડમાં ૩૦નાં મોત, ૯૦ લોકો ઘાયલ, ૨૫ મૃતદેહોની ઓળખ થઈ

    ૧૭ કલાક પછી સ્વીકાર્યું,મહાકુંભ ભાગદોડમાં ૩૦નાં મોત, ૯૦ લોકો ઘાયલ, ૨૫ મૃતદેહોની ઓળખ થઈ

    City Today DailyBy City Today DailyJanuary 29, 2025

    પ્રયાગરાજ, તા.૨૯
    પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારા પર થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૩૫થી ૪૦ સુધી પહોંચી ગયો છે. આ આંકડો વધુ વધી શકે છે. સરકારે ૧૭ કલાક પછી મહાકુંભ મેળામાં ભાગદોડમાં ૩૦ લોકોના મોતની પુષ્ટિ કરી છે જેમાં એક ગુજરાતી છે. ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું- મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા. આમાંથી ૨૫ લોકોની ઓળખ થઈ ગઈ છે. ૯૦ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બેરિકેડિંગ તૂટવાથી નાસભાગ મચી ગઈ.
    મંગળવારે રાત્રે લગભગ ૧.૩૦ વાગ્યે આ અકસ્માત થયો હતો. સંગમ કિનારે લોકો મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે રાહ જાેઈ રહ્યા હતા ત્યારે આ નાસભાગ મચી ગઈ. આ અકસ્માત શા માટે થયો તેનું કારણ બહાર આવ્યું નથી. રાજ્ય સરકારે પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
    દુર્ઘટના બાદ ૭૦થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે એ માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓને મહત્ત્વપૂર્ણ અપીલ કરી હતી. સીએમ યોગીએ એક ટિ્‌વટ કરતાં કહ્યું કે શ્રદ્ધાળુઓને મારો અનુરોધ છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્ર દ્વારા અપાયેલા ર્નિદેશોનું પાલન કરે. મા ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે એટલા માટે શ્રદ્ધાળુઓ જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ જવાનો પ્રયાસ ન કરે.
    આજે મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન છે, જેના કારણે શહેરમાં અંદાજે ૫ કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મોડીરાત સુધીમાં ૮થી ૧૦ કરોડ ભક્તો સંગમ સહિત ૪૪ ઘાટ પર સ્નાન કરે એવી શક્યતા છે.
    આના એક દિવસ પહેલાં મંગળવારે ૫.૫ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. સુરક્ષા માટે ૬૦ હજારથી વધુ જવાનો તહેનાત છે.
    મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, અરાજકતાને કારણે મૃત્યુ થયા છે. આમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે ૯૦ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ૨૫ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે.
    ડીઆઈજીએ મીડિયાને જણાવ્યું કે, મેળામાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ઘાટ પર કેટલાક બેરિકેડ તૂટી ગયા હતા, જેના કારણે જમીન પર સૂતા કેટલાક ભક્તો ગભરાઈને ઉપર ચઢી ગયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકો મૃત્યુ પામ્યા. ૨૯ જાન્યુઆરીએ સરકારે કડક સૂચના આપી હતી કે કોઈ વીઆઇપી પ્રોટોકોલ રહેશે નહીં. કોઈ વીઆઇપી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું. મેળાના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું હતું કે તેઓ આવેલા ભક્તોને પાછા મોકલવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે.

    Post Views: 635
    ૧૭ કલાક પછી સ્વીકાર્યું ૨૫ મૃતદેહોની ઓળખ થઈ ૯૦ લોકો ઘાયલ મહાકુંભ ભાગદોડમાં ૩૦નાં મોત
    Previous Articleમહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે : કોંગ્રેસ
    Next Article બેંક એકાઉન્ટ ભાડે આપી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરનાર આરોપીની ધરપકડ,પૈસા કમાવવાની લાલચમાં એકાઉન્ટ ભાડે આપી ૬૫ સાયબર ફ્રોડને સહકાર આપ્યો

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.