Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, May 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી, ચારધામ યાત્રા અધૂરી રહી ને છ સાથી ગુમાવ્યા, સાપુતારા અકસ્માતના ૨૬ ઇજાગ્રસ્ત વતન રવાના, બસમાં સાથે પોલીસની ટીમ પણ ગઈ

    સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી, ચારધામ યાત્રા અધૂરી રહી ને છ સાથી ગુમાવ્યા, સાપુતારા અકસ્માતના ૨૬ ઇજાગ્રસ્ત વતન રવાના, બસમાં સાથે પોલીસની ટીમ પણ ગઈ

    City Today DailyBy City Today DailyFebruary 4, 2025

    સુરત, તા.૦૪
    સાપુતારામાં બસ ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં આશરે ૪૮ જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી ૬ જેટલા મુસાફરોનું કરુણ મૃત્યુ થવા પામ્યું હતું. જ્યારે ૨૭ જેટલા ગંભીર રીતે ઘાયલ દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ આજે ૨૬ ઇજાગ્રસ્તોને વતન રવાના કરવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તો માટે સુરત પોલીસ દ્વારા બસ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ સાથે જ આ બસમાં એક પોલીસની ટીમ પણ મોકલવામાં આવી હતી. પિતાગ રસ્તોએ જણાવ્યું હતું કે, ચારધામની યાત્રા અધૂરી રહી છે અને છ સાથીદારો અમે ગુમાવ્યા છે.
    મળતી માહિતી પ્રમાણે, ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ વહેલી સવારે ૪ઃ૩૦થી ૫ વાગ્યાના સુમારે આહવા તાલુકાના સાપુતારા-માલેગામ ધાટમાર્ગમા મધ્યપ્રદેશથી ધાર્મિક પ્રવાસે નીકળેલી કુલ ૪ જેટલી ખાનગી લક્ઝરી બસો કે જે મહારાષ્ટ્રના નાસિકથી (ત્ર્યંબકેશ્વર) ગુજરાતના દ્વારકા તરફ જઈ રહી હતી, ત્યારે બસ ખીણમાં પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં આશરે ૪૮ જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે પાંચ અને ત્યાર બાદ એકનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ૨૭ જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી આ મુસાફરોની સારવાર કરવામાં આવી રહી હતી. એક દર્દીનું ઘુટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ૨૬ જેટલા મુસાફરો પૈકી ૨૬ની હાલતમાં સુધાર થતા તેમના પરિવારજનો વતન લઈ જઈને સારવાર કરવા જણાવ્યું હતું. જેના પગલે સુરતની ખટોદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસના પીઆઇ ભાવેશ રબારી દ્વારા ૨૬ મુસાફરોને વતન જવા માટે બસ અને બે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આજરોજ આ તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને બસ અને એમ્બ્યુલન્સ મારફતે વતન રવાના કરવામાં આવ્યા હતા.
    પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, સાપુતારામાં અકસ્માતની ઘટના બાદ ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મુસાફરોની મુલાકાત પણ લેવામાં આવી હતી. તમામ દર્દીઓની સારવારની પણ તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી. ત્યાં તેમની સ્થિતિમાં સુધાર થતાં વતન રવાના કરવામાં આવ્યા છે. ૨૨ મુસાફરોને બસ અને ચાર દર્દીઓને એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવ્યા છે. તેમના માટે એ પોલીસની ટીમ પણ બસમાં રાખવામાં આવી છે. એક દર્દી સારવાર મેળવી રહ્યો છે તેને પણ સારું થયા બાદ વ્યવસ્થા કરીને મોકલવામાં આવશે.

    Post Views: 395
    ચારધામ યાત્રા અધૂરી રહી ને છ સાથી ગુમાવ્યા બસમાં સાથે પોલીસની ટીમ પણ ગઈ સાપુતારા અકસ્માતના ૨૬ ઇજાગ્રસ્ત વતન રવાના સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી
    Previous Articleમનપા કમિશનર શરમ કરો, અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે
    Next Article ભાજપની નીતિ… ખેસ પહેરો લૂંટના લાઈસન્સ લઈ જાઓ, ભાજપની ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરો વધુ એક વાર ખુલ્લો પડી ગયો : કોંગ્રેસ

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.