Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, June 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મનપા કમિશનર શરમ કરો, અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

    મનપા કમિશનર શરમ કરો, અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

    City Today DailyBy City Today DailyFebruary 4, 2025

    સુરત, તા.૦૪
    સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનની અંદર હંમેશા ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવતા રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને કતારગામ ઝોન હંમેશા વિવાદમાં આવતો રહ્યો છે. ફરી એક વખત પાલિકાની ટીમ દ્વારા કતારગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે. તેમની સામે લાંચિયા અધિકારીઓ કોઈ પગલાં લેતા ન હોવાની રાવ ઊભી થઈ રહી છે.
    કતારગામ ઝોનની અંદર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્ય દ્વારા સંકલન બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોને લઈને કામગીરી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ કોર્પોરેટર દ્વારા જ કામગીરી ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. ભાજપના જ કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે, મોટા ટેમ્પરરી સ્ટ્રકચરોને દૂર કરવામાં આવી રહ્યા નથી માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કામગીરી ન્યાય પૂર્ણ થવી જાેઈએ. માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવી ન જાેઈએ. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મોટા આક્ષેપ કરતા કહ્યું છે કે, આજે લાઈટ એન્ડ ફાયરની બેઠક હતી. જેમાં કમિશનરની સામે જ કેટલાક મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે. છેલ્લા બે વર્ષથી હું સતત કતારગામની અંદર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓની અંદર રજૂઆત કરતો રહ્યો છું. ખાસ કરીને બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રકચરોને લઈને રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. મારું કહેવું એવું છે કે, માત્ર કતારગામ ઝોનમાં નહીં, પરંતુ આખા શહેરની અંદર આ કામગીરી તેજ કરવી જાેઈએ.અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભ્રષ્ટાચારી નીતિ આપનાવવામાં આવી રહી છે.
    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટા સ્ટ્રક્ચરો જે ગેરકાયદેસર છે તેને દૂર કરવામાં આવ્યા નથી. ખેતરોની અંદર દ્ગછ થયા વગરની જમીનો ઉપર મોટા રેસ્ટોરન્ટ અને શેડ ચલાવીને હોટલ શરૂ કરી દેવામાં આવી છે. એ તમામ ગેરકાયદેસર હોવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. નાના નાના વેપારીઓને હેરાન કરવાની માનસિકતા અધિકારીઓ રાખે છે, પરંતુ આવા મોટા ગેરકાયદેસર શેડને દૂર કરવા માટે કેમ કામગીરી કરતા નથી. અધિકારીઓ સતત ભ્રષ્ટાચારમાં લિફ્ટ છે અને મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચર કરનારાઓને છાવરી રહ્યા છે. રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ સિલ મારવાની કામગીરી ખૂબ મોટો ઉપાડે કરી દેવામાં આવી હતી. તેમાં પણ અધિકારીઓ દ્વારા ન્યાય પૂર્ણ કામગીરી કરવામાં આવી નથી.

    Post Views: 2,398
    અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મનપા કમિશનર શરમ કરો
    Previous Articleબલેશ્વર ગ્રાંમ પંચાયતમાં રઉજી લાડ નામના ઇસમની મળેલી લાશ અંગે તપાસનો ધમધમાટ શરૂ?
    Next Article સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી, ચારધામ યાત્રા અધૂરી રહી ને છ સાથી ગુમાવ્યા, સાપુતારા અકસ્માતના ૨૬ ઇજાગ્રસ્ત વતન રવાના, બસમાં સાથે પોલીસની ટીમ પણ ગઈ

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.