Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મહાકુંભ જતી ટ્રેનમાં ચઢવાની ભાગદોડમાં ૧૮ લોકોનાં મોત

    મહાકુંભ જતી ટ્રેનમાં ચઢવાની ભાગદોડમાં ૧૮ લોકોનાં મોત

    City Today DailyBy City Today DailyFebruary 16, 2025

    નવી દિલ્હી, તા.૧૬
    નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ મેળા દરમિયાન સંગમ સ્નાન કરવા માટે ભક્તોની મોટી ભીડ પ્રયાગરાજ તરફ જઈ રહી હતી ત્યારે થયેલી ભાગદોડમાં ૧૮ લોકો માર્યા ગયા અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા હતા.
    દેશની રાજધાનીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ૧૮ લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે અચાનક નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪-૧૫ પર નાસભાગ મચી ગઈ હતી. ભીડ વચ્ચે લગભગ ૧૮ લોકો મૃત્યુ પામ્યા. ભાગદોડની માહિતી મળતા જ પોલીસ અને ચાર ફાયર ટેન્ડરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજ જવા માટે લોકોની ભીડ સ્ટેશન પર પહોંચી હતી . આ દરમિયાન અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.
    નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪-૧૫ પર થયેલી નાસભાગમાં અનેક લોકોના મોત થયા છે. પ્રયાગરાજ મહાકુંભમાં જતા લોકો માટે રેલ્વે સ્ટેશનથી બે ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જાેકે, આ ટ્રેનો મોડી પડવાને કારણે સ્ટેશન પર ભીડ વધવા લાગી. આ સમય દરમિયાન ઘણા લોકો ભાગદોડમાં કચડાઈ ગયા અને મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીડને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
    મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ મહાકુંભના અંતિમ દિવસોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. દરમિયાન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોના આગમનને કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. આ દરમિયાન લગભગ ૧૫ મુસાફરોની હાલત બગડી ગઈ અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવા આરોપો છે કે ટ્રેનો મોડી પડવાને કારણે સ્ટેશન પર અંધાધૂંધી ફેલાઈ હતી.
    રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમાર ઘટનાનું નિરીક્ષણ કરવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા અને આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
    વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી રહી જતાં, તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા. આવી સ્થિતિમાં, ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં લેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી, ધક્કામુક્કી શરૂ થઈ ગઈ અને અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા હતા.
    નાસભાગની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ સાથે ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા, પરંતુ ઘાયલોની સંખ્યા એટલી વધારે હતી કે એમ્બ્યુલન્સ મળી શકી નહીં. આવી સ્થિતિમાં, કેટલાક લોકો તો પોતાના સંબંધીઓને ઓટો દ્વારા હોસ્પિટલ લઈ ગયા હતા. લોકનાયક હોસ્પિટલ પ્રશાસને મોડી રાત્રે ૧૦ મહિલાઓ સહિત ૧૫ લોકોના મોતની પુષ્ટિ કરી હતી, જ્યારે લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ હોસ્પિટલોમાં ઘણા ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મૃતકો અને ઘાયલોના સંબંધીઓ હોસ્પિટલોમાં રડી રહ્યા છે.

    Post Views: 425
    મહાકુંભ જતી ટ્રેનમાં ચઢવાની ભાગદોડમાં ૧૮ લોકોનાં મોત
    Previous Articleમૃત્યુના સાચા આંકડા ક્યારે જાહેર થશે? : કોંગ્રેસ
    Next Article ફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.