Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા

    ફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા

    City Today DailyBy City Today DailyFebruary 17, 2025

    મહારાષ્ટ્ર,૧૭
    મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે. આ વખતે મહાયુતિની અંદર જ ડખા હોય તેવું લાગી રહ્યું છે. એવું લાગે છે કે એકનાથ શિંદે નારાજ છે અને દેવેન્દ્ર ફડણવીસથી અલગ જ ચાલી રહ્યા હોય એવું લાગે છે. અગાઉ, એકનાથ શિંદે ફડણવીસની સભાઓમાંથી ગાયબ રહ્યા હતા. હવે તેમણે એવો ર્નિણય લીધો છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે સીએમ-ડેપ્યુટી સીએમ વચ્ચેનો વિવાદ વધી ગયો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું છે. મહારાષ્ટ્રમાં સીએમ રિલીફ ફંડ હોવા છતાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પોતાની મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું છે.
    મંગેશ ચિવેટ-પાટીલને એકનાથ શિંદેના મેડિકલ રિલીફ સેલના વડા બનાવવામાં આવ્યા છે. એકનાથ શિંદેની મેડિકલ રિલીફ સેલ આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લોકોને મદદ કરશે. કારણ કે આરોગ્ય વિભાગ એકનાથ શિંદે પાસે છે. એટલે કે, શિંદેની શિવસેનાના નેતા પ્રકાશરાવ અબિટકર.
    હાલમાં આરોગ્યમંત્રી છે. જાે કે, મેડિકલ રિલીફ સેલ સીએમ રિલીફ ફંડની જેમ સીધી નાણાકીય મદદ પૂરી પાડશે નહીં. આમ છતાં એકનાથ શિંદેના આ પગલાને વિદ્રોહી વલણ તરીકે જાેવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ હતા ત્યારે તેમની પાસે કાયદો અને ન્યાય વિભાગ હતો. તેમાં તેઓ ખાનગી ચેરીટેબલ હોસ્પિટલમાં દર્દીઓને મદદ કરતા હતા. જાેકે, આ પહેલી ઘટના નથી જેમાં મતભેદો સામે આવ્યા હોય. આ પહેલા પણ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મતભેદ જાેવા મળ્યા છે. આટલું જ નહિ પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનમાં અધિક મુખ્ય સચિવને MSRTCના હેડ બનાવવા પર પણ વિવાદ થયો હતો. એકનાથ શિંદે કેમ્પના પરિવહનમંત્રી આ પદ પોતાની પાસે રાખવા માગતા હતા. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એકનાથ શિંદેના નામને લઈને પણ હોબાળો થયો હતો. આ પછી તેમાં એકનાથ શિંદેનો સમાવેશ કરવામાં આવ્યો. આ કારણોસર મહાયુતિમાં મહાભારતની શક્યતાઓ દેખાઈ રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શિંદેની નારાજગીનું કારણ શું છે.

    Post Views: 377
    ફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા
    Previous Articleમહાકુંભ જતી ટ્રેનમાં ચઢવાની ભાગદોડમાં ૧૮ લોકોનાં મોત
    Next Article ફરજિયાત હેલ્મેટ અને કડક કાર્યવાહી સામે અનોખો વિરોધ, ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચ્યા!

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.