Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 20
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા

    ફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા

    City Today DailyBy City Today DailyFebruary 17, 2025

    મહારાષ્ટ્ર,૧૭
    મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે. આ વખતે મહાયુતિની અંદર જ ડખા હોય તેવું લાગી રહ્યું છે. એવું લાગે છે કે એકનાથ શિંદે નારાજ છે અને દેવેન્દ્ર ફડણવીસથી અલગ જ ચાલી રહ્યા હોય એવું લાગે છે. અગાઉ, એકનાથ શિંદે ફડણવીસની સભાઓમાંથી ગાયબ રહ્યા હતા. હવે તેમણે એવો ર્નિણય લીધો છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે સીએમ-ડેપ્યુટી સીએમ વચ્ચેનો વિવાદ વધી ગયો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું છે. મહારાષ્ટ્રમાં સીએમ રિલીફ ફંડ હોવા છતાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પોતાની મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું છે.
    મંગેશ ચિવેટ-પાટીલને એકનાથ શિંદેના મેડિકલ રિલીફ સેલના વડા બનાવવામાં આવ્યા છે. એકનાથ શિંદેની મેડિકલ રિલીફ સેલ આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લોકોને મદદ કરશે. કારણ કે આરોગ્ય વિભાગ એકનાથ શિંદે પાસે છે. એટલે કે, શિંદેની શિવસેનાના નેતા પ્રકાશરાવ અબિટકર.
    હાલમાં આરોગ્યમંત્રી છે. જાે કે, મેડિકલ રિલીફ સેલ સીએમ રિલીફ ફંડની જેમ સીધી નાણાકીય મદદ પૂરી પાડશે નહીં. આમ છતાં એકનાથ શિંદેના આ પગલાને વિદ્રોહી વલણ તરીકે જાેવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ હતા ત્યારે તેમની પાસે કાયદો અને ન્યાય વિભાગ હતો. તેમાં તેઓ ખાનગી ચેરીટેબલ હોસ્પિટલમાં દર્દીઓને મદદ કરતા હતા. જાેકે, આ પહેલી ઘટના નથી જેમાં મતભેદો સામે આવ્યા હોય. આ પહેલા પણ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મતભેદ જાેવા મળ્યા છે. આટલું જ નહિ પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનમાં અધિક મુખ્ય સચિવને MSRTCના હેડ બનાવવા પર પણ વિવાદ થયો હતો. એકનાથ શિંદે કેમ્પના પરિવહનમંત્રી આ પદ પોતાની પાસે રાખવા માગતા હતા. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એકનાથ શિંદેના નામને લઈને પણ હોબાળો થયો હતો. આ પછી તેમાં એકનાથ શિંદેનો સમાવેશ કરવામાં આવ્યો. આ કારણોસર મહાયુતિમાં મહાભારતની શક્યતાઓ દેખાઈ રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શિંદેની નારાજગીનું કારણ શું છે.

    Post Views: 365
    ફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા
    Previous Articleમહાકુંભ જતી ટ્રેનમાં ચઢવાની ભાગદોડમાં ૧૮ લોકોનાં મોત
    Next Article ફરજિયાત હેલ્મેટ અને કડક કાર્યવાહી સામે અનોખો વિરોધ, ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચ્યા!

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.